________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભટકવું પડે છે. આપણે જ વિચાર કરીએ. આપણે પરભવમાં કેને ત્યાં અવતર્યા હોઈશું, અને ત્યાંથી આપણે મરણ પામી અહીં આવ્યા ત્યારે તે ભવનાં સગાં વહાલાં આપણું નામ યાદ કરી રૂદન કરતાં હશે, ચા, શેક કરતાં હશે, તેથી શું આપણે ત્યાં જઈ શકીશું ખરા ? ના કદિ જઈ શકવાના નથી. તે ફરી તેવી રીતે આપણે ઘેર જે મરણ પાપે, તેને યાદ કરી દેવાથી શું સાર કાઢવાના હતા? ના કંઈ નહીં અને તેથી મરનાર કદ પાછે આવનાર નથી. ભવ્ય વિચારે !! સાંજની વખતે એક ઝાડ ઉપર ઘણું પંખી ભેગાં થાય છે, અને સવારના પહોર થતાં કઈ કઈ દિશામાં અને કેઈ– કઈ દિશામાં સર્વે પંખી જતાં રહે છે, તેમ આપણે કર્મના વશથી એક ઘેર ઉત્પન્ન થયા છીએ,
www.kobatirth.org
For Private And Personal Use Only