________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭ ). જોડાઈને ક્ષમાપના કરશો. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘને ખમાવું છું, અનેક ગ૭ના ભિન્નભિન્ન સાધુએ તથા સાધ્વીએ વિગેરેને પણ જે કંઈ મારા વિચાર ભાષણથી અને આચારથી અપ્રીતિ, દ્વેષ, પરિતાપ, ઉપદ્રવ થયો હોય તે સબંધી ખમાવું છું.” અને તમે પણ ખમશે. હે ગુરૂ મહારાજા ! આપના પ્રતિ પણ મારા શિષ્યધર્મ પ્રમાણે બરાબર ન વર્યો હોઉં તથા અપ્રીતિ ઉપજાવી હોય –આશાતના કરી હોય તે પ્રમાવું છું. આપ પણ ખમશે. હે શિખે તમને પણ હું માનું છું, તમને ભણાવતાં– ગણાવતાં, ઉપદેશ દેતાં, શિક્ષા કરતાં કંઈ અપ્રીતિ, દેવ ઉપજાવ્યા હોય તો તે ખમાવું છું, વ્યવહારથી તમે શિષ્યપણે છે, પણું વસ્તુતઃ જોતાં તમે મારા આત્મા સદશ છે, મારાથી તમારા હૃદયમાં નીચભાવના ઉખન્ન થઈ હોય તે સંબંધી ખમાવું છું, નયસાપેક્ષબુદ્ધિથી તમને ઉપદેશ આપતાં તમારી તથા પ્રકારની બુદ્ધિના અભાવે ઉલટે અર્થ કર્યો હોય, અને ઉલટાં આચરણ આચર્યા - ય તો તે સંબંધીને દેવ મારા ઉપર ચઢાવશે નહીં. તમારા આત્માની પરમાત્મસ્થિતિ થવાને માટે ઉપદેશ દેતાં અપ્રીતિ–ઉપદ્રવ થયે હોય તેની ક્ષમાપના કરું
www.kobatirth.org
For Private And Personal Use Only