________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે, તેને ગેરઉપયોગ કરે એ મહામૂર્ખનું કૃત્ય છે. હવા ને દવાથી શરીરનું યથાયેગ્ય સંરક્ષણ કરી આહારથી પિષી ધર્મના માર્ગમાં જોડવું જોઈએ એ, પણ શરીરથી મારામારી કરવી, પ્રાણીઓને ઘાત કરે, પરસ્ત્રી સાથે સંભોગ કરે, નકામા બેસી રહેવું, ઇત્યાદિ શરીરથી પાપના કૃત્ય કરવાં ચોગ્ય નથી, શરીરને ઉપરી આત્મા છે. જે આત્મા મુક્તિ માર્ગે જવાનું ધારી શરીરને રાગ ત્યાગ કરી પિતાના સ્વગુણમાં રાગ ધારણ કરે તે કર્મક્ષય કરી મુક્તિ પદ પામે. આ શરીર મારું છે, શરીરને કંઈ વાગતાં, અરે ! રે રેમને લાગ્યું-એમ અજ્ઞાની જીવ પોકારે છે, પણ સમજવું કે શરીર પોતાનું નથી. ગજસુકુમાલને ધન્ય છે કે જેના મસ્તક ઉપર સસરાએ પાળ બાંધી અંગારા ભરતાં પણ શરીર ઉપર જરા માત્ર રાગ દશા ધારણ કરી નહિ અને જ્ઞાનભાવે હું આત્મા સર્વથી જુદો છું. હું શરીર નથી તે શરીર મારું કેમ માનું? એવી ભાવના ભાવીને પોતાના સસરા ઉપર ક્ષમા ધારણ કરી આત્મ સ્વભાવમાં રહી, સદુ
www.kobatirth.org
For Private And Personal Use Only