________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકારનાં શરીરની અંદર રહેનાર આત્મા દરેક જુદે છે. તે શરીરની અંદર કર્મના ગે રહેલો છે. પણ શરીર માટીની દેરી જેવું છે, તેને ઢળી પડતાં વાર લાગતી નથી. પાણીની અંદર જેમ પરપોટો ઉત્પન્ન થાય છે, તે અવશ્ય નાશ પામે છે, તેમ શરીર ઉત્પન્ન થાય છે માટે તે અવશ્ય નાશ પામે છે. દુનિયા અનાદિકાળથી છે, તેની અંદર મનુષ્ય પણ અનાદિકાળથી ઉત્પન્ન થાય છે અને મરે છે, કેઈનું શરીર અમર રહ્યું નથી અને રહેવાનું નથી. આ શરીરમાં અજ્ઞાની જીવ પિતાપણાની બુદ્ધિથી રાગ કરે છે, તે પિતાનું નથી. તે તેની પુષ્ટિને માટે માંસ દારૂં વિગેરેનું ભક્ષણ કરી પાપના પટલા ભરી આત્માને અંતે નરક ગતિમાં નાખે છે, તે સારું નથી, મr હજુ માધનપૂ પ્રથમ શરીર ધર્મનું કારણ છે. આ કહેવત ભૂલવા જેવી નથી, તે પણ યાદ રાખવું કે-મનુષ્ય શરીર ચિંતામણિ રત્ન કરતાં પણ અધિક છે. કલ્પવૃક્ષ કરતાં પણ અધિક
www.kobatirth.org
For Private And Personal Use Only