________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૮) મરતાં બચાવવા, તેમની સારવાર કરવી, રોગીઓના રેગ દૂર કરવા, અંધા, લલા, અનાથ, ગરીબ જીવોને સહાય કરવી તેથી શાતા વેદની કર્મ બંધાય છે માટે દરેક આત્માએ અહિંસામય દયા ધર્મનું સેવન કરવું, આ પ્રમાણે મુનિરાજ મહારાજ દેશના આપી ૌન રહ્યા ત્યારે તે ભિક્ષુકે મુનિરાજ પાસે દયામય ધર્મ અંગીકાર કર્યો, મુનિરાજે અન્યત્ર વિહાર કર્યો ભિક્ષુક પણ દયામય ધર્મનું આરાધન કરવા લાગે. હવે પિતાના મૂળ સિદ્ધાંતનું વિવેચન કરીએ છીએ.
જે મનુષ્ય પરને પીડા કરે છે. અન્યાય માર્ગમાં પ્રીતિથી વર્તે છે તે અશાતા વેદનીય કર્મ ઉપાર્જન કરે છે, માટે કેઈનું આપણે ભૂંડું ચિંતવવું નહીં. તેમજ કેઈનું ધન તથા આહાર પડાવી લે નહીં, કેઈને મારમારીને સતાવે નહીં, દેવદ્રવ્ય, ગુરૂદ્રવ્ય અને જ્ઞાનદ્રવ્યનું ભક્ષણ કરવું નહીં, વિશ્વાસ આપી વિશ્વાસઘાત કરવો નહીં, પુણયથી ઉલટા માર્ગે ચાલે તે પાપકર્મ બંધાય છે. જીવની હિંસા કરવાથી, અસત્ય બોલવાથી, ચેરી કશ્વાથી,
www.kobatirth.org
For Private And Personal Use Only