________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩ ). ફક્ત વિશેષ ઘી લીધું તે પણ તને ફાયદે જાણી લીધું છે એમ કહી મુનીશ્વર ચાલતા થયા. આ દષ્ટાંત ઉપરથી સાર લેવાને કે કઈ વખત પુણયનાં કાર્ય કરતાં આપણે સામા ધણી ઉપર વહેમ લાવીયે છીએ, પરંતુ જેવી પરિણામની ધારા તેનું ફળ થાય છે. અન્ય કોઈ મહાત્મા સત્પાત્ર હોય અને તેમના ભણું જે આપણે ગેરવર્તણુકથી વતીએ, અને તે કદાપિ આપણું ઘેર આવ્યા ત્યારે મનમાં એમ ચિંતવ્યું કે આ તે મહાત્મા ઠીક નથી, પણ વહેરાવ્યા વિના છૂટકો નથી એમ ધારી વહેરાવે છે તેને પુણ્યને બંધ, પરિણામ વિના શી રીતે યથાયોગ્ય થઈ શકે ? જેમ મંત્ર જે છે તે શ્રદ્ધા (આતા) તથા ગુરૂ ગમ વિધિ વિના બરાબર ફળ આપી શકતા નથી, તેમ દરેક પુણ્યનાં કાર્ય સારા પરિણામ વિના ફળ આપી શકતાં નથી. કેટલાક તે કીર્તિના ભિખારી કે જે પોતે જે જે સારાં કાર્ય કર્યા હોય છે, તે તે બીજાઓની આગળ બડાઇથી કહી બતાવે છે, તે બડાઈ હાંકવામાં સાર એ રહ્યો હોય છે કે મારી સર્વ લેકે
www.kobatirth.org
For Private And Personal Use Only