________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૪ ) તેને સારો ભાવ જોઈ પાનું લઈ લીધું નહિ. મનમાં એમ વિચાર્યું કે જે હું પાનું લેઈ લઈશ તે આ શેઠના પરિણામની ધારા તુટી જશે, એમ ધારી ઘીનો દ્વારા પાત્રમાં પડવા દીધી. થોડીવારમાં પાત્ર ભરાઈ ગયું. શેઠે પાત્રમાં ખૂબ ઘી પડેલું જોઈ વિચાર્યું કે–અરે આટલું ઘી સાધુના પાત્રમાં પડેલું છે તેને સાધુ શું કરશે? અરે આતો લેભી જેવા જણાય છે, એમ તેના મનને વિચાર મુનીશ્વરે જાણયે એટલે તુરત મુનિરાજે થી વહેરવાનું બંધ કર્યું, અને શેઠને કહ્યું કે હવે બસ થયું. શેઠે કહ્યું કેમ ગુરૂજી ! ત્યારે મુનિરાજે કહ્યું તારા પરિણામની ધારા સારી હતી તે તુટી એટલે મેં પાડ્યું લે લીધું. મેં પાનું વિશેષ સમય સુધી રાખ્યું હતું તેનું કારણ એજ હતું કે તારી સારી પરિણામની ધારા તુટી ના જાય. શેઠે સર્વ વાત કબૂલ કરી અને કહ્યું કે હે ગુરૂજી! હવે ફરીથી વહેરાવું. ત્યારે ગુરૂએ કહ્યું કે હવે કંઈ તેવી પરિણામની ધારા થાય નહીં, અને મારે કંઈ વહેરવાને હવે ખપ નથી.
www.kobatirth.org
For Private And Personal Use Only