________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવના.
અમોએ વિ. સં. ૧૯૬૨ના માગશર માસમાં સુશ્રાવક શા વાડીલાલ હરિચંદ પાડેચીયાની બહેન પાલી બહેને કેશરીચાઇને સંઘ કાઢી તેમાં અમારા ગુરૂજી મહારાજ શ્રી સુખસાગરજી તથા શ્રી ન્યાયસાગરજી સહિત વિહાર કર્યો. તે વખતે હઠગાભ્યાસની ક્રિયા શરૂ હતી, અને તે વખતે યુવાવસ્થામાં ધ્યાન વિગેરે ધર્મપ્રવૃત્તિ ઘણી સારી થતી હતી. દરરોજ સવારમાં બે ત્રણ કલાક વિહાર થતો. પશ્ચાત્ તંબુમાં અગર સગવડે ગામના ઉપાશ્રયમાં નિવાસ થતો હતો. ગામેગામ જન પ્રતિમાનાં દર્શન થતાં હતાં. અલૌકિક આત્માનંદ વર્તત હતો. વિજાપુરથી સંઘ નીકળ્યો અને સાહીબાપુરમાં પહેલે મુકામ થયો અને બીજો મુકામ ઈલેલ ગામે કર્યો અને ત્યાં ગામની બહાર ધ્યાન ધરવાની લહેર પડી તથા સત્યસ્વરૂપ ગ્રંથનું લખાણ પણ શરૂ કર્યું. લેલથી અહમદનગર સંધ ગયા. ત્યાંના રાજા પ્રતાપસિંહને મળીને તેમને દયાનો ઉપદેશ આપો. તથા ઈડર ઉપર જનારા જાત્રાળુઓનું મુંડકું ન લેવું એ ઉપદેશ આપો તેથી તેમણે મુંડકું લેવાની પ્રવૃત્તિ પાડી હતી તે બંધ પાડી. અહમદનગરથી સંધ રૂપાલ ગ. રૂપા
www.kobatirth.org
For Private And Personal Use Only