________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૭૯), જેવામાં આવે છે, પુત્રપુત્રી ઉપર રાગ ક્ષણિક છે. જે પુત્ર ઉપર રાગ થાય છે તે પુત્ર ઉપર કઈ વખતે દ્વેષ પણ થાય છે, જે સ્ત્રી ઉપર એક વખત રાગ થાય છે તે ઉપર કોઈ વખતે દ્વેષ પણ થાય છે. જ્યાં રાગ થાય છે ત્યાં દ્વેષ થાય છે, અને જ્યાં પ્રીતિ ત્યાં ભીતિ રહી છે. ભેજન આદિ ઉપર પણ રાગની બુદ્ધિ ધારણ કરવી નહીં. દુધપાક ઉપર ગાય છે તે દુધપાકનું ભજન કંઠ પર્યત પરિપૂર્ણ જમતાં પશ્ચાત્ કઈ શીરે, લાહ લાવીને આપે તે તે શીરા લાડુ ઉપર અરુચિ થાય છે. અલબત્ત તે વસ્તુઓ ઉપર થનારો રાગ ક્ષણિક છે. પિતાના આત્માથી ભિન્ન વસ્તુઓમાં કેમ રાગની બુદ્ધિ ધારણ કરવી? હે આત્મા! તું પોતાના સ્વરૂપમાં રાગ ધારણ કર. વા સદ્દગુરૂ મહારાજ ઉપર રાગ ધારણ કર કે જેથી અંતે વીતરાગ થઈશ. પ્રભ પૂજા, તપ, જપ, વ્યાખ્યાન શ્રવણમાં રાગને ધારણ કર કે જેથી તે ત્યાં કરેલો રાગ નષ્ટ થશે અને
સ્વહિત થશે, મનને એકદમ રાગ રહિત કરવું મુશ્કેલ છે, પણ યુક્તિ પ્રયુક્તિથી રાગદશા દૂર
www.kobatirth.org
For Private And Personal Use Only