SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૮૦) અવધવું. જૈનસંધરક્ષાદિ અનેક ધાર્મિક સેવાઓને અંગીકાર કરવામાં આચાર્યાદિધર્મ રાજ્યપ્રવર્તકેને સ્વજીવનનું સ્વાર્પણ કર્યા વિના ત્રણ કાળમાં સેવાધર્મમાં નિષ્કામ પ્રગતિ કરી શકાતી નથી. ધર્મસામ્રાજ્યપ્રવત્તક ધર્મરાજ શ્રીઆચાર્યનું હૃદય એટલું બધું ધર્મભાવના પ્રવૃદ્ધિમાં ઉદાર હોય છે કે જે હૃદય પિતાનામાં ઉતર્યા વિના આચાર્યના ધાર્મિક સેવાના આશયે કદાપિ અવધી શકાય નહિં; માટે શ્રાવકવર્ગે વા સાધુવર્ગે તે આચાર્યની આજ્ઞામાં ધર્મને નિશ્ચયભાવ અવધારીને ઉપર્યુક્ત ધાર્મિક સર્વ અંગેના પિષણ માટે સ્વસ્વશક્તિનું આજ્ઞા દ્વારા સેવામાં સ્વાર્પણ કરવું જોઈએ. જૈન શાસન-જૈન સંઘનું ગાંભીર્ય ખરેખર જેનચાર્યની આજ્ઞા પ્રમાણે પ્રવતીને સ્વફરજો અદા કરવાથી અવબોધી શકાય છે. સંઘબળાદિની વૃદ્ધિમાં સુવ્યવસ્થા, પેજના, કાયદાનું પાતંત્ર્ય સ્વીકારીને અનુક્રમ પ્રમાણે સુવ્યવસ્થા કમમાં ગોઠવાઈને પ્રત્યેક જેને સ્વધર્મની ફરજે યથાશક્તિ અદા કરવા તત્પર થવું જોઈએ. પરંતુ "सर्वेऽपि यत्र नेतारः, सर्वे पण्डितमानिनः। सर्वे महत्वमिच्छन्ति, તક યુવમવતિ ” એ કલેકમાં કશ્યા પ્રમાણે મૂર્ખતાયુક્ત અહંવૃત્તિથી સ્વાચ્છઘાચરણ ન થવું જોઈએ. સાધુ, સાધવી, શ્રાવક, શ્રાવિકા વર્ગ માન્ય કરીને તે પ્રમાણે વતે તે અમુક ગચ્છ વા સંઘની ઉન્નતિ થાય જ એ નિઃસંદેહ છે. વિશ્વમાં વિદ્યમાન સર્વ ધર્મના નેતાઓ સુવ્યવસ્થિત થઈને સ્વસ્થ ધર્મની પ્રગતિ કરવા તનતોડ મહેનત કરી રહ્યા છે, તેવા પ્રવૃત્તિના જમાનામાં જેને દરકાર વિનાના સ્વાછઘથી નિરંકુશ બની પ્રમાદ કરશે તે વિશ્વમાં તેઓ નામાવશેષ થઈ જશે એ ભય રહે છે. સત્યધર્મનું અભિમાન વહનારા જેનેએ For Private And Personal Use Only
SR No.008649
Book TitleSanghpragati Mahamantra
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages117
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy