SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિરાધે પરસ્પર લડવામાં જેને કામના વીર્યને ક્ષય કરવાનું ગમશે નહિ. ભિન્ન ભિન્ન ગ૭ના સંઘે પરસ્પર સંપ કરી એક મહા સંધ, સંપની જનાઓ પૂર્વક ભેગે કરી આચાર્યોના પ્રમુખપણું નીચે જેનેન્નતિનું કાર્ય પ્રારંભવું જોઈએ. જૈન સાધુઓ અને સાધ્વીઓને ભણવા-ભણાવવા માટે સાધુ પાઠશાળા અને સાવી પાઠશાળાની સ્થાપના માટે ખાસ જૈન સાધુઓએ, જૈનાચાર્યોએ અને અગ્રગણ્ય ધનવંત સાક્ષર ગૃહસ્થાએ લક્ષ્ય દેવું જોઈએ અને તે પાઠશાળામાં એવી વ્યવસ્થા રાખવી કે સર્વ ગચ્છના સધુએ નિયમિત કાયદા પ્રમાણે ચાલી-ભણું શકે. તેમજ કેઇ ગચ્છના સાધુને કંઈ ગરછના સાધુ ભરમાવે નહિ તેમજ ગચ્છના ખંડન મંડનની ઉદીરણ ન જાગે એ બંબસ્ત થવું જોઈએ. ભણનાર સાધુઓને દરેક જાતની સગવડ કરી આપવી જોઈએ. સાધવી પાઠશાળામાં પણ તે પ્રમાણે વ્યવસ્થા થવી જોઈએ. ભવિષ્યમાં સાધુઓ અને સાધવીઓની જ્ઞાનાદિક ગુણવડે ઉન્નતિ થાય એવું શિક્ષણ આપવું જોઈએ. ઉપદેશ દેવાનું જમાનાને અનુસરી નવી પદ્ધતિથી સાધુઓ અને સાધ્વીઓને શિક્ષણ આપવું જોઈએ અને જૂની પદ્ધતિનાં શિક્ષણને સંસ્કાર આપી સારું રૂપ આપવું જોઈએ. જે જે ઉપદેશક-ગીતાર્થ સાધુઓની ખેટ પડે તેને સાધુશાળામાંથી નીકળતા સાક્ષર સાધુઓ વડે પૂરવી જોઈએ. સાધુગુરુકુલ અને સાવગુરુકુલની સ્થાપનાથી નવા સાધુ થનાર ઉમેદવારો અને સાધવી થવાની ઈચ્છાવાળી શ્રાવિકાઓને બંને પ્રકારના ગુરુકુળની સાથે અલગ વ્યવસ્થા કરીને તેઓને ભણાવવાની સગવડ કરી આપવી જોઈએ, અને તેનામાં સદ્વર્તનની શુદ્ધતા અને ઉચ્ચતા પ્રકટી નીકળે એવા ઉપાય For Private And Personal Use Only
SR No.008649
Book TitleSanghpragati Mahamantra
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages117
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy