________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪) થાય છે. જે શ્રાવકે શ્રાવિકાએ પિતાના ઉપકારી આચાર્યની આજ્ઞા પ્રમાણે વર્તે છે, તેઓની ચડતી થાય છે. આચાર્યોની નિંદા-હેલના–અપમાન કરવાથી કોઈ જીવની સદ્ગતિ થતી નથી. જૈનાચાર્યોની સેવા-ભક્તિથી કુલની વૃદ્ધિ થાય છે અને તેમની નિંદા કરવાથી મહા તીવ્ર પાપ બંધાય છે અને તેથી નિદકના કુલને ક્ષય થઈ જાય છે. જે સાધુઓ અને જે સાધ્વીઓ સ્વછંદપણે વર્તે છે અને સ્વચ્છના સંઘાડાના આચાર્યની આજ્ઞાને ઉથાપે છે અને જેઓ આચાર્યની આજ્ઞા પ્રમાણે વર્તવાને નિબંધ છે તેઓની પડતી-હેલન થાય છે અને તેથી તે જૈન કૅમ અને જૈન ધર્મના નાશનું પરિણામ આવે છે, શ્રીયશોવિજયજી ઉપાધ્યાય જેવાઓ પણ સ્વગછના આચાર્યની આજ્ઞા પ્રમાણે વર્તતા હતા અને આચાર્યની આજ્ઞા પ્રમાણે ઉપદેશ દેતા હતા. આચાર્યની આજ્ઞા વિના ગચ્છ-સંઘાડામાં કઈ પણ સાધુથી જૂદી પ્રરૂપણ થાય નહીં અને તેમની નિશ્રા વિના સાધુ અને સાદવી પણ કરી શકાય નહીં. સ્વગચ્છના સાધુઓ અને સાદવીઓ જે સંપીને આચાર્યની આજ્ઞા પ્રમાણે ધર્મોપદેશાદિ કાર્યો કરે છે, તે શ્રાવકે અને શ્રાવિકા ઉપર સારી અસર થાય છે. સ્થાપનાચાર્ય વિના જ્યારે ધમની ક્યિા પણ કરી શકાતી નથી તે પછી જીવતા આચાર્યોની આજ્ઞા અને તેમના વિના કદી ક્ષણ માત્ર પણ ચતુર્વિધ સંઘમાં ચાલી શકે નહીં એમ કહેવું તે સમાચારીના આધારે એગ્ય છે. શુષ્ક અધ્યાત્મજ્ઞાનીઓએ કદી જૈન ધર્માચાર્યની આજ્ઞાથી વિમુખ રહેવું નહિ, કારણ કે આચાર્યની આજ્ઞા નહિં માનવાથી વ્યવહારધર્મને લેપ થઈ જાય છે અને તેથી જૈન સંઘરૂપ તીર્થને ઉચ્છેદ થવાને પ્રસંગ આવે છે. તેના પરિણામે
For Private And Personal Use Only