________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨ ) પડે છે, તકત જેને કામની ઉન્નતિના પૂર્વે જે જે કાયદાઓ રચવામાં આવ્યા હોય તેને ઠેકાણે વર્તમાનકાળને અનુસરી જેન કેમની ઉન્નતિના ઉપાય રૂપ કાયદાઓને જૈનાચાર્યો રચી શકે છે તેને શ્રીવીરપ્રભુની આજ્ઞા જ માની વર્તમાનકાલીન જૈનાચાર્યના પ્રગતિના ઉપાયને આચારમાં મૂકવા ! કેમે કટિબદ્ધ થવું જોઈએ. શ્રીવીરપ્રભુ હવે તેમના શાસનની પ્રગતિ માટે સિદ્ધસ્થાનમાંથી પાછા આવવાના નથી. તેમની આજ્ઞાઓને અમલમાં મૂકનાર અને જૈનેની પ્રગતિ કરનાર વર્તમાનકાલીન જૈનાચાર્યું છે. વર્તમાન જૈનાચાર્યો સંબંધી એટલે વિચાર કરવો જોઈએ કે તેઓ વર્તમાનકાળને અનુસરી જૈન કેમની વાસ્તવિક પ્રગતિ થાય એવા કાયદાઓ-ઉપાય ફરમાવનારા જોઈએ. જૈનકોમને પછાત પાડે એવા કાયદાઓ ન લેવા જોઈએ. વર્તમાનકાળના આચાર્ય તે શ્રીવીરપ્રભુની પાટે છે માટે તેમની આજ્ઞાને વીરપ્રભુની આજ્ઞાવત માન આપીને અમલમાં મુકવી જોઈએ. વર્તમાનકાળના આચાર્યોએ પૂર્વાચાર્યોના વિચારેની રક્ષા કરીને વર્તમાનકાળમાં સ્થાપક શૈલીએ પ્રાયઃ પ્રગતિ કરવી જોઈએ.
ધર્મવ્યવહારનયને, પ્રગતિની દષ્ટિએ વર્તમાનકાળને અનુસરી, માન આપીને વર્તમાનકાલીન ગીતાર્થ જૈનાચાર્યોની આજ્ઞા પ્રમાણે જેનેએ વર્તવું જોઈએ. જેના કામની વ્યાવહારિક તથા ધાર્મિકેન્નતિને વિચાર કરવાનું હોય ત્યારે વ્યવહારનયને માન આપી ઉન્નતિના ઉપાયને આદરવા અને વર્તમાનકાલીન જૈનાચાર્યોને અનુસરી વર્તવું એજ જેન કેમની ઉન્નતિનું પ્રથમ લક્ષણ છે. ધમની સત્તાના પ્રવર્તક જૈનાચાર્યો છે અને તેથી
For Private And Personal Use Only