________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંઘપ્રગતિ–મહામંત્ર.
પ્રકરણ ૧ વર્તમાનકાળના જૈનાચાર્યો વર્તમાનકાળની જૈન કેમને ઉદય સારી રીતે કરી શકે. પૂર્વાચાર્યોના સર્વ વિચારો માનનીય છે, પરંતુ વર્તમાનકાળમાં જે જે ઉન્નતિના વિચારોમાં સુધારાએ કરવાની જરૂર છે તે સુધારાઓને વર્તમાનકાળના ગીતાર્થ સાધુઓ કરી શકે. ભૂતકાળના આચાર્ય ઉપાધ્યાયના ગુણ ગાવામાં આવે અને વર્તમાનકાલીન આચાર્યોની આજ્ઞા ન માનવામાં આવે તે વર્તમાનકાળમાં જેન કોમને ઉદય થઈ શકે નહિ અને જૈન કેમની અધગતિ થાય. હિન્દુસ્તાનના શહેનશાહની વર્તમાનકાળમાં આજ્ઞા માનવામાં ન આવે અને ભૂતકાળમાં થઈ ગયેલા શહેનશાહને ઉત્તમ માની બેસી રહેવામાં આવે તે છેવટે પરિણામ એ આવે કે રાજ્યવ્યવસ્થા–સત્તાને નાશ થઈ જાય. ભૂતકાળના જૈનાચાર્યોના ઉપદેશને માન્ય કરો જોઈએ, પરંતુ વર્તમાન જૈનાચાર્યોની આજ્ઞા પાળવામાં આવે તે જૈન કેમની પ્રગતિ થાય. વર્તમાનકાળે ગીતાર્થ જૈનાચા જૈનશાસનની ઉન્નતિ માટે જે જે આજ્ઞાઓ ફરમાવે તે શ્રી મહાવીરની અને પૂર્વાચાર્યોની આજ્ઞાઓ જ છે; એ પ્રમાણે : માન્ય કરીને આજ્ઞાઓને અમલમાં મૂકી શ્રી જૈન કેમની પ્રગતિ કરવી જોઈએ. શ્રી મહાવીરપ્રભુના શાસનની ઉન્નતિ કરવી અને જૈન કેમની વૃદ્ધિ કરવી એવી જૈનાચાઓંની જે જે આજ્ઞાઓ બહાર પડે તેને જૈનમે અમલમાં મૂકવા પ્રયત્ન કરવો જોઈએ. પ્રગતિના કાયદાઓ જેમ પ્રત્યેક દેશમાં દેશકાલાનુસાર ફેરફારને પામે છે, જુના કાયદાઓને બદલી તેને ઠેકાણે નવા કાયદાઓ રચવા
For Private And Personal Use Only