SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાપ્તિ–રસીભૂત થયેલ દારિકાદિ ગ્ય પદને દારિકાદિ શરીરપણે પરિણુમાવે એટલે રસ, રૂધિર, માંસ, મેદ, હાડ, મજા અને વીર્ય એ સાત ધાતમાંથી જે શરીરને જેટલી ધાતુ હોય તેટલી ધાતુપણે પરિણુમાવી શરીર બનાવવાની જે શક્તિ તે શરીરપર્યાપ્તિ. આ શરીરપર્યાપ્તિવડે જીવ, પ્રતિસમયે શરીર રચના કરે છે, અને એ શરીરપર્યાપ્તિ પૂર્ણ થવાથી જીવ કાયાગમાં પ્રવર્તે છે, એમ કેટલાક આચાર્યોને અભિપ્રાય છે. ન્દ્રિપતિ –જે શક્તિવડે ધાતુપણે પરિણમેલા આહારને ઈન્દ્રિયપણે પરિણુમાવે તે ઇન્દ્રિય પર્યાપ્તિ કહેવાય એ પ્રજ્ઞાપના, જીવાભિગમ તથા પ્રવચનસારે દ્વારને અભિપ્રાય છે. શ્રી સંગ્રહણી વૃત્તિમાં તે “ધાતપણે પરિણમેલા ઈન્દ્રિયોગ્ય આહારમાંથી ઈન્દ્રિયગ્ય પદ્રલે લઈ તે પલેને યથાસ્થાને ગોઠવ્યાબાદ તેના વડે વિષય જાણવામાં સમર્થ થાય એવી શક્તિ તે ઈન્દ્રિય પર્યાતિ” એ અર્થ કર્યો છે. શ્વાસોચ્છવાસપતિ–જે શક્તિ વડે આત્મા શ્વાસોચ્છવાસ વર્ગણાનાં પુતલ ગ્રહણ કરી શ્વાસોચ્છવાસપણે પરિણુમાવી, અવલંબી વિસર્જન કરે તે શક્તિને શ્વાસોચ્છવાસપર્યાસિ કહે છે. માજાપતિ–જે શક્તિ વડે આત્મા ભાષાવર્ગણુનાં પુલ ગ્રહણ કરી ભાષાપણે પરિણુમાવી (બોલવાના ઉપગમાં લઈ) અવલંબીને વિસર્જન કરે તે શકિત ભાષાપર્યાપ્તિ. મનપ—િજે શક્તિ વડે આત્મા અને વર્ગણાનાં પુત્ર ગ્રહણ કરી મનપણે પરિણુમાવી (ચિંતવન કરી) અવલંબીને વિસર્જન કરે તે શક્તિ મનપતિ કહેવાય. ૧. બાણને ફેંકતા પહેલાં પ્રથમ બાણને પાછું ખેંચવારૂપ, તથા બિલાડીને શિકા તરફ પિતાનું અંગ ફેંકવા પહેલાં પ્રથમ અંગસંકોચરૂપ જેમ પ્રથમ પ્રયત્ન કરવો પડે છે તેમ શ્વાસાદિકનાં પુત્ર વિસર્જન કરવા પહેલાં વિસર્જનક્રિયાના કારણરૂપ જે પ્રથમ પ્રયત્ન તે અવન. For Private And Personal Use Only
SR No.008647
Book TitleSamvedh Chatrishi
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherSimandharswami Jain Mandir Khatu Mehsana
Publication Year1977
Total Pages163
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy