SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૧ સાથે પડી રહે તે સત્તા, અને ફળ આપે એટલે ઉદયમાં આવ્યું ગણાય છે, તે વખતે સત્તા કહેવાય નહિ એમ માનવું ગ્ય છે કે અગ્ય ? ઉત્તર –હે જીજ્ઞાસુ ! એ મન્તવ્ય અગ્ય છે કારણકે જે સમયે કર્મ બંધાયું તે બધ્યમાન સમય, તથા બંધાયા બાદ ઉદયરહિત અવસ્થામાં પડી રહ્યું તે અબાધાકાળ, અને અબાધાકાળ વીત્યા બાદ જેટલે કાળ ઉદયમાં વન્યું તે ઉદયકાળ, એ ત્રણે કાળમાં કર્મની સત્તા ગણાય છે. સત્તામાં મૂળકર્મ આઠ અને ઉત્તરકમ ઘણે સ્થાને એકઅડતાળીસ ગણેલ હોવાથી ચાલુ ગ્રંથમાં પણ એકસેઅડતાળીસ ગણાશે. (૨૭) શરીર પ– એટલે વિખરવું એ ધાતુ ઉપરથી તે એટલે જે વિશીર્ણ થાય-વિખરાઈ જાય તે શરીર કહેવાય. તે ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કામણ એમ પાંચ પ્રકારનું છે. રાઈફાર–શ્રી તીર્થંકર, ગણધર, ચકવર્તિ, વાસુદેવ, પ્રતિવાસુદેવ અને મુનિ વિગેરેની અપેક્ષાએ ઉદાર એટલે શ્રેષ્ઠ જે શરીર તે દારિકશરીર, અથવા આ શરીરવડે મેક્ષ, તપ, જપ, વ્રત, નિયમ અને સર્વ લબ્ધિઓ પ્રાપ્ત થાય છે માટે ઉદાર એટલે પ્રધાન શરીર ગણાય છે, અથવા આદારિકવર્ગણાઓનું બનેલું છે માટે મારા નામ છે. શિર—વિવિધ પ્રકારની કિયાઓ કરવાની શક્તિવાળું શરીર તે વૈક્રિયશરીર. આ શરીર એક મટી અનેક થાય છે, અને અનેક મટી એક થાય છે, નાનાનું મોટું થાય ને મેટાનું નાનું થાય, હલકાનું ભારી થાય અને ભારીથી હલકું થાય, એમ અનેક પ્રકારનું પરાવર્તન વૈકિય શરીરથી થઈ શકે છે, અને એ શરીર વૈક્રિય વગૅણુઓનું બને છે. શારિરીર–કેઈક લબ્ધિવાળા ચંદપૂર્વધરમુનિ, શી For Private And Personal Use Only
SR No.008647
Book TitleSamvedh Chatrishi
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherSimandharswami Jain Mandir Khatu Mehsana
Publication Year1977
Total Pages163
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy