________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬૮ ) રૂપ જાળ વિસ્તારી છે, તે મન જાળમાં મૃગ સમાન થઈ હે મુનિયે તમે પડશે નહિ, તેમાં જે મુનિવર્ય મૃગ સમાન થઈ પડે નહિ તેને કોઈ પણ પ્રકારનું દુઃખ નથી. જે મને જાલમાં ફસાય તેજ મૃગની પેઠે દુઃખી થાય છે. સંકલ્પ વિક૯૫ મન તેજ મેહરૂપ વાઘરીની જાળ સમજવી. અને મનરૂપ જાળમાં પડેલા મુનિ મૃગ સમાન છે. અને તેમાં પડતા નથી તે દુઃખી નથી, જ્યારે મન આત્માના સન્મુખ થઈ પારકાના દોષ પ્રતિ દ્રષ્ટિ દેતું નથી, ત્યારે બહુ રીતે મનને આત્મામાં લગાડવું કે જેથી, જ્ઞાન, ધ્યાનના રસની પુષ્ટિ થાય
शुभं शरीरं दिव्यांश्च विषयानभिवाञ्छति ।। उत्पन्नात्ममतिदेहे तत्वज्ञानी ततथ्युतिम् ॥ ४ ॥
અથ–જેને દેહમાં આત્મબુદ્ધિ છે તે શુભ શરીર અને દિવ્ય વિષયની વાંછા કરે છે, અને તત્ત્વજ્ઞાની તે થકી છુટા થવાને ઈરછે છે.
વિવેચનઃ—-દેહ તેજ આત્મા, એમ જે બુદ્ધિ વત છે તે શુભ, અને સુંદર શરીર, દિવ્ય વિષય છે, અને સ્વર્ગના ભેગ ઈ છે છે, અને જે અન્તરાત્મા તત્વજ્ઞાની છે, તે શરીર ભોગાદિ થકી છુટવાને ઈચ્છે છે. જ્ઞાની અને અજ્ઞાનની દ્રષ્ટિમાં, આકાશ અને પાતાળ જેટલો તફાવત છે. અજ્ઞાની જેથી બંધાય છે તેથી જ્ઞાની છૂટે છે.
For Private And Personal Use Only