________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિક્ષેપ પામે છે અને જ્ઞાન સંસ્કારથી તેજ પાછું મન સ્વતઃ આત્મમાં વિરામ પામે છે.
વિવેચનઃ–શરીર, મન, વાણી, ગૃહ, પુત્ર, ધન, આદિ જગના માયિક પદાર્થોને પવિત્ર, સ્થિર, તથા આત્મરૂપ માનવા તે અવિદ્યા તેનો અભ્યાસ, એટલે પુનઃ પુન તેમાયિક પદાર્થોમાં પ્રવૃત્તિ અને તે પ્રવૃત્તિથી પેદા થએલને સંસ્કાર કહે છે. અને તેવા સંસ્કારોથી વિકેન્દ્રિયાધીન થએલ મન વિક્ષેપતાને પામે છે. અને તેનું તેજ મન આત્મજ્ઞાનથી સંસ્કારને પામેલું આત્મસ્વરૂપ તત્ત્વમાં કરે છે.
अपमानादयस्तस्य विक्षेपो यस्य चेतसः ।। नापमानादयस्तस्य न क्षेपो यस्य चेतसः ॥ ३८ ॥
અર્થ—જેના ચિત્તનો વિક્ષેપ છે, તેને જ અપમાનાદિ છે, જેના ચિત્તને વિક્ષેપ નથી, તેને અપમાનાદિ કંઈ નથી.
વિવેચનઃ—અપમાન એટલે પિતાના મહત્ત્વનું અંગ ડન-અવજ્ઞા, એટલે તિરસ્કાર નિંદા, કલંક, ઈર્ષા, માત્સર્ય, રાગ, દ્વેષ, આદિ દેષાથી જેના ચિત્તને વિક્ષેપ થાય છે, તેને તે દે નડે છે, વિક્ષેપવાળા ચિત્તમાં પૂર્વોક્ત દેને પ્રાદુભવ થાય છે, અને જેના ચિત્તમાં તે વિક્ષેપ થતું નથી તેને તેમાંનું કંઈ નથી, દેષયુકત ચિત્તને જ સંસાર છે.
For Private And Personal Use Only