________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪) ત્તિને ઉદય જ્ઞાનિને થતું નથી. જ્ઞાની પિતાના આત્મામાં સ્વબુદ્ધિ ગ્રહણ કરે છે.
अविद्यासंज्ञितस्तस्मात्संस्कारो जायते दृढः । येन लोकोऽङ्गमेव स्वं पुनरप्यभिमन्यते ॥ १२ ॥
અથ–બહિરાત્મામાં અવિદ્યાને સંસ્કાર દઢ થાય છે અને તેનાથી લેક જન્માતરમાં પણ શરીરને જ આત્મા માને છે.
વિવેચન –તે વિભ્રમ થકી બહિરાત્મામાં આત્મ બ્રાન્તિ રૂપ વાસના દ્રઢ થાય છે. અને તે અવિદ્યા થકી અજ્ઞાની જન્માન્તરમાં પોતાના શરીરને જ આત્મરૂપ સ્વીકરે છે, સંસ્કારનું એવું સામર્થ્ય છે કે પરભવમાં પણ તેવા જ પ્રકારની બુદ્ધિ ઉત્પન્ન થાય છે. જેમ આજના દિન વસના કરેલા કાર્યના સંસ્કારે બીજા દિવસે, રાત્રિનું અન્તર છતાં પણ, તેવાજ રૂપ ભાસે છે, તે જ રીતે આ ભવના સંસ્કાર જેવી બુદ્ધિમાં દ્રઢ થયેલા હોય છે તેવા પ્રકારના પરભવમાં જન્મ થતાં પ્રગટ થાય છે સમ્યફ મતિથી સમ્ય સંસ્કાર અને દુષ્ટ મતિથી દુષ્ટ સંસ્કાર પરભવમાં પ્રાપ્ત થાય છે માટે ભવ્ય પુરૂએ આત્મામાંજ આત્મ બુદ્ધિ ધારણ કરવી અને પુલમાં અજીવ બુદ્ધિ ધારણ કરી સ્વસ્વભાવમાં રમવું.
For Private And Personal Use Only