________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૬). ચિત્તવૃત્તિની સુરતાને ઘાસખાતાં-ચાલતાં પાણી પીતાં પિતાના વાછરડામાંજ લાગી રહી છે. મારૂ વાછરડું શું કરતું હશે. તે મારા વિના બુમ પાડતું હશે. તે ભૂખ્યું થયું હશે. તે મને સંભારતું હશે. એ વાછરડાને કેમ હશે એમ ચિંતવતી ગાય પિતાની સુરતા વાછરડામાં અન્ય કાર્યો કરતાં છતાં પણ રાખે છે. તેમ આનંદઘનજી મહારાજ કહે છે કે, હે ભવ્ય શ્રેય સાધકો—તમે પણ વ્યવહારના વેપારનાં, દુકાનનાં, નેકરીનાં, રાજ્યનાં, નિશાળનાં ખેતીનાં, મીલનાં વિગેરે હરેક કાર્યો કરતાં છતાં પણ તમારી સુરતા તમારા શરીરમાં જિનસ્વરૂપ આત્મામાં રાખે એટલે અનેક પ્રકારનાં વ્યવહારનાં કાર્યો કરતા છતા પણ અન્તરથી તે સર્વ કાર્યથી ન્યારા રહી તમે આત્મામાં પુનઃ પુનઃ સુરતા સાંધે તે તમારો આત્મારૂપ પરમેશ્વર પ્રસન્ન થાય. અને સમયે સમયે અનંતસુખના વિલાસી બને. વળી આનંદઘનજી મહારાજ આત્માની સાથે કેવી રીતે સુરતા સાંધવી તેના ઉપર દ્રષ્ટાંત આપી જણાવે છે કે ચાર પાંચ સાહેલીયારે–ચાર પાંચ સરખે સરખી ઉમરની જુવાન સાહેલીઓ સાથે ગાગરીઓ મૂકી પાણી ભરવા જાય અને પાણી ભરીને હસતી હસતી પરસ્પર તાળીઓ દેતી ચાલે પછી વાત કરતી ચાલે. પણ તેની સુરતાતે વાતે કરતાં, ચાલતાં, હસતાં, તાળી દેતાં ગાગરમાંજ લાગી રહી છે.
For Private And Personal Use Only