________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૪૯) કહે છે. અને તે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ, યોગે ઉદયમાં બાવી અશાતા વઢનીય રૂ૫ અશુભ ફળ દેખાડે છે. તેને બાવ પાપ કહે છે વળી પુણ્ય અને પાપની ચતુર્ભાગી ઉત્પન્ન થાય છે તે દર્શાવે છે. ૧ પુણ્યાનુબંધી પુણ્ય રે પુણ્યાનુબંધી પાપ. ૩ પાપાનુબંધી પુણ્ય. - પાપાનુબંધી પાપ.
૧. પુણ્યાનુબંધી પુણ્ય–જે પુણ્યનાં દળીયાં ભેગવતાં તે પુણ્યના યોગે શુભ મનવચન ને કાયાના યોગે કરી આમાં પાછું પુણ્ય ઉપાર્જન કરે છે, તેને પુણ્યાનુ બંધી પુણ્ય કહે છે. જેમ કુમારપાળરાજા, ધનાશાલીભદ્ર સીતા સતી, સંપ્રતિરાજા, વગેરે દ્રષ્ટાંતે જાણવાં. તેમ હાલ પણ જે મોટા પ્રહસ્થ, ખાનદાન, નગરશેઠના ગ્રહસ્થ પુત્ર વિગેરે પૂર્વ જન્મ પુણ્ય યોગે શાતા મેળવે છે. અને જે શુદ્ધ ધર્મની શ્રદ્ધા પામી પાછા શુભ કાર્ય કરે છે, તેઓ પુણ્ય બાંધે છે. માટે તે પુણ્યાનુબંધી પુણ્ય જાણવું. જેઓ ક્ષિા અંગીકાર કરે છે તેમને પણ પુણ્યાનુબંધી પુણ્ય શુભાગે બંધાય છે. અને શાસ્ત્રમાં પણ કહ્યું છે કે-મહાપુણ્યની સામગ્રીએ મનુષ્ય જન્મની પ્રાપ્તિ થાય છે. તેમાં પણ મહા પુણ્યવંત હોય તે સત્યધર્મ શ્રવણ કરી શકે છે. અને તેમાં પણ મહા પુણ્ય હોય તે સત્ય ધર્મની શ્રદ્ધા થાય છે. અને તેના કરતાં પણ મહા પુણ્ય જેને
For Private And Personal Use Only