SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૪૭) છે, માલ વિનાના ગપાટા ઠાકવાથી ઢંગઢડા વિનાનું અગડ બગડ ભસવાથી તમારૂજ બગડે છે, અને તમેજ દુ:ખી છે, નક્કી સમજો, લીંબડાનું ઝાડ વાવી લીંબેનીજ પામવાના આંખાની આશા રાખશેા નહીં આ કથન આરસી જેવું તમને સ્પષ્ટ ભાસ્યા વિના રહેશે નહીં. ચા અને અજ ઉપરથી વિચારતાં માલુમ પડશે કે જાગ્રત્ અવસ્થાના સર્વકાળમાં શુદ્ધ વિચાર કરવાની કેટલી આ વશ્યકતા છે, આત્મધર્મના વિચારમાં નિરન્તર નિમગ્ર રહેવાથી કેવા લાભ થવાનો સંભવ છે? સારા ગુણાને ધારણ કરવાથી સર્વમાં આત્મબુદ્ધિ ધારણ કરવાથી અને કોઇ જીવના અંતઃકરણને નહિં દુઃખવવાથી ધ્યાનના ઉપદેશ દેવાથી, અભયદાન સુપાત્રદાનનું અર્પણ કરવાથી, ક્ષમા નિલેભિતા બ્રહ્મચય વિવેક કરૂણાદિને સેવી નિ રંતર મનની સ્વસ્થતા રક્ષવાથી કેવાં દૈવી સુખા મળવાને તમને સંભવ છે, એ સર્વ તમને હવે સ્પષ્ટ સમજાશે અરિહંત સિદ્ આચાર્ય. ઉપાધ્યાય અને સાધુ એ પંચપરમેષ્ઠીમય નવકાર મંત્ર જપવાથી અને તે પ્રત્યેકના ગુણા સંભારી સ`ભારી મનન કર્યાંથી મળે તે યાદ રાખો, મનુષ્યગતિમાંજ આત્મા પરમાત્મપદ પ્રગટાવી શકે છે, અન્યગતિમાં મેક્ષપદ મેળવાતું નથી, માટે પ્રિયભાઈ ખરાબ વિચારેને તમે આજથી દેશવટો આપેા, આપાને આપે. For Private And Personal Use Only
SR No.008645
Book TitleSamadhi Shatkam Ane Atmashakt Prakash
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagar
Publication Year
Total Pages342
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy