________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૪૨ ) પાપી અને તેમાં અન્યને શે। દોષ ? પુણ્યના વિચારે સેવા તે પુણ્યશાળી બનો, નરકગતિ યોગ્ય લેગ્યાના વિ ચારે સેવા તે નરકમાં જાએ તેમાં બીજાના શે। દ્વેષ,તમારી મેળેજ પાતે વિચારી સેવ્યા છે માટે તેના અનુસારું ફળ ભોગવવાંજ પડશે. તેમાં શું આશ્ચર્ય ? જ્ઞાનનું આચ્છાદન કરે તેને જ્ઞાનાવરણીયકર્મ કહે છે. જ્ઞાન છે તે દીપક સમાન છે, જ્ઞાન પંચ પ્રકારે છે, મતિજ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન, એ જ્ઞાનનું આચ્છાદન, જ્ઞાનીની નિંદા કરવાથી થાય છે. જ્ઞાનીના ઉપર કલંક ચડાવવાથી જ્ઞાનાવરણીયકમ અંધાય છે, આત્મજ્ઞાન આપ્યુ. હેાય એવા ગુરૂ મહારાજના ઉપર દ્વેષ કરવાથી, વા તેમના અવિનય કરવાથી, તેમના ઉપર ક્રોધ કરવાથી, તેમની ખબેાઈ કરવાથી જ્ઞાનાવરણીયકર્મ બંધાય છે, વા તેવા આત્મજ્ઞાની ગુરૂ પાસેથી જ્ઞાન લેઈ બીજાની પાસે હું ભણ્યા છું એમ કહેવાથી જ્ઞાનાવરણીય કર્મ બધાય છે. અને ભણેલું જ્ઞાન ફળીભૂત થતું નથી. જ્ઞાનીની નિંદા કરનાર, ઉત્સૂત્ર ભાષણ કરનાર, જ્ઞાનીને અવિનય કરનાર, મનુષ્ય જ્ઞાનાવરણીયકર્મ સમુપાર્જન કરે છે, વળી જ્ઞાનીને એમ કહે કે એને તે એક અક્ષર પ આવડતા નથી. વા તેનામાં અમુક પ્રકારના દોષો છે, તે તે અમુક કામ કર્યું હતું. તેનાં લક્ષણ તે ખરાખ છે. એમ
For Private And Personal Use Only