________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૦) મેળે જ દુઃખ પેદા કર્યું છે. કારણ કે,-વિચાર સર્વ શક્તિ માન છે. અનેક પ્રકારના સારા બુરા વિચારના વિભાગને કૃષ્ણલેશ્યા, નીલેશ્યા, કાપેતલેશ્યા, તેજોલેશ્યા, પઘલેશ્યા, અને શુકલલેશ્યા છે લેસ્થા તરીકે શ્રી સ ર્વજ્ઞ તીર્થકર ભગવાન કળે છે. અને તે વિચારથીજ પુણ્યપાપ બંધાયું છે, અને બંધાય છે. પ્રિય સાધકો, સમજે કે,–પ્રસન્નચંદ્રરાજર્ષિ કે જે દીક્ષા અંગીકાર કરી વીરપ્રભુના સમયમાં કાઉસગ્ગ ધ્યાને રહ્યા હતા. પ્રસંગવશાતુ અન્યજનના શબ્દ શ્રવણથી તેમના મનમાં ખરાબ વિચાર આવ્યું. અને જેમ જેમ તે અન્ય પ્રાણીઓને નાશ કરવાના પાપી વિચાર કરવા માંડ્યા કે, તુરતજ તેઓ પ્રથમ નરક આદિ સાતે નરકનાં દળીયાં ઉપાર્જન કરવા લાગ્યા. આ પ્રસંગે વિરપ્રભુને શ્રેણીક રાજાએ પુછયું કેપ્રસનચંદ્ર મરે તે ક્યાં જાય. ત્યારે શ્રી વીરભુએ પ. હેલી નરક, બીજી નરક, યાવતું સાતમી નરક બતાવી. પ્ર. સન્નચંદ્ર રાજરૂષિ લડાઈના વિચારમાંથી સારા વિચારોની ભાવનામાં ચડ્યા એટલે તેમને નરકગતિ કેમ બાંધેલાં કર્મનાં દળીયાં વિખેરી નાંખ્યા, અને અંતે ઉત્તમશુકલ ધ્યાનમાં ચડી ઘાતકર્મ ક્ષય કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષપદ પામ્યા. સજ્જનો હવે વિચારે કે, વિચારમાં કેટલું બળ છે? અચિંત્ય શક્તિ વિચારમાં રહી છે. માટે
For Private And Personal Use Only