________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૨૯ )
ળામાં કોઇપણ પદાર્થ ઉપર ચિત્તવૃત્તિ સ્થાપવી હાય ત્યારે બે ચક્ષુને મટકાયા વિના સ્થિર આંખથી જોયા કરવું. ચક્ષુમાં થી જલ આવે તે તે લુસી નાંખવું. અને પાછું જોયા કરવું એમ ચક્ષુને તકલીબ ના પડે તે ત્યાંસુધી જોયા કરવું, તેમ કરતાં રોક કલાક સ્થિર આંખ રહે અને ચિત્ત પણ સ્થિર થઇ જાય ત્યાંસુધી અભ્યાસ વધારવા, આવી રીતે બાહ્યપ્રદેશોની સાથે ખાદ્યવાટક જેણે સિદ્ધ કર્યો છે, તેને ગુરૂગમ મળતાં અને કેટલીક ક્રિયા શિખવતાં મેસ્મેરીઝમ જલદી આવડે છે અને તે પ્રયાગમાં તે ફાવી શકે છે. વા તમા સવા રના પહેારમાં સાંજરે કરવા જાઓ ત્યારે આકાશ તરફ દ્રષ્ટિ સ્થાપી ચિત્તવૃત્તિ સ્થિર કરજો, સવારના પહેારમાં બાહ્યપ્રદેશમાં ત્રાટક કરાતા પશ્ચિમ દિશાના આકાશ તરફ દ્રષ્ટિસ્થિર રાખી એકાગમન કરો અને સાંજરે પૂર્વદિશાના આકાશ તરફ દ્રષ્ટિરાખી ત્રાટક કરો. ત્રાટક એક કલાક લગભગ થતાં પીળા કાળા લાલ રંગી એરગી ગોળાએ દેખાશે, પણ તેમાં જોવા તરફ લક્ષ દેશો નહિ અને આગળ વધો ઉત્સાહ વધારો હું સર્વ કરીશ એમ સ્મિત રાખજો.
આદ્ય ત્રાટક આકાશમાં કરતાં ન ફાવે તે પ્રભુની મૂર્તિ સામુ એકી નજરથી દેખી સ્થિર ચિતવૃત્તિ રાખજો. પ્રભુની એટલે તીર્થંકરની મૂર્તિના સામું જોઈ ત્રાટક કરવાથી અનેક ગુણ ઉત્પન્ન થાય છે. પણ યાદ રાખવું કે જ્યાં કેાઈ હાય
For Private And Personal Use Only