________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૦૭) મારી ઈચ્છાનુસાર ઘણે પ્રસંગે પ્રયત્ન કરી જોતાં છતાં પણ અનંતજ્ઞાન અનંતશક્તિના મૂળમાં તમેએ પ્રવેશ કર્યો નથી. અને અતૃપ્તિ અને અશાંતિની અગ્નિની મહા જ્યાલાઓ પ્રતિક્ષણે ચિંતારૂપ વાયુથી ભભુકા મારતી તમારું હદય બાળે છે, તેને અનુભવ તમે નથી જે વારું, તેમ છતાં અંતરમાં સુખ છે એ ભાન ભૂલી તમે કયાં દેટે નથી મારતા? આ શું જણાવે છે કે તમને આત્મશ્રદ્ધા નથી.
આત્મસ્વરૂપ પ્રતિ વળવું. આત્મજ્ઞાન પ્રાપ્ત ક. રવું, અને આત્મસ્વરૂપમાં રમવું. એ વિના વ્યવહારીક વા પારમથક સુખને ઉદય નથી?
પણ આત્મસ્વરૂપ પ્રતિ વળવું શી રીતે, આત્મ જ્ઞાન પ્રાપ્ત કરવું શી રીતે, તેના કંઈ ઉપાયે કહેશે આત્મજ્ઞાન સુખનું નિધાન છે એવું સાંભળી સાંભળીને હમારા કાન બહેર મારી ગયા છે. સઘળા મહાત્માઓ ક હે છે કે આત્મજ્ઞાન પ્રાપ્ત કરે પ્રાપ્ત કરે એમ લાંબા હાથ કરી કરીને કહે છે. પ્રત્યેક ગ્રંથોમાં પણ તેમ લખાયું છે, પણ આત્માનું જ્ઞાન અમારા જેવાએ શી રીતે લેવું તેને કોઈ ઉપાય બતાવે છે? આ ઉપાયમાં કહેવું પડશે કે—મનની શાંત અયિ અવસ્થા કરવી.
For Private And Personal Use Only