________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬૨) નાશ થતાં, જેમ આત્માને નાશ થતો નથી, તે પ્રમાણે જાગ્રત કણ જે શરીરાદિ તેને નાશ થતાં, આત્માને નાશ થતું નથી. કોઈ એમ કહે કે સ્વમ દિશામાં બ્રાન્તિને લીધે આત્માને પણ નાશ ભાસે એવી શંકા કરનારને ઉત્તર કે તે વાત જાગ્રત ને પણ સરખી છે. કેમકે, જેને બ્રાન્તિ નથી, તે કઈ પણ મનુષ્ય દેહના નાશથી, આત્માને નાશ થાય એમ માને જ નહિ. માટે ઉભયત્ર આત્માને નાશ ઘટતું નથી. જાગ્રત અને સ્વમ એ બે અવસ્થામાં પણ આત્મા અવિનાશી નિત્ય વર્તે છે, વળી કહે છે કે સ્વધામાં દેખેલા પદાર્થના સુખના નાશથી, દુઃખ લેક પામતું નથી, તેમ જાગ્રત અવસ્થામાં દેખેલા પદાર્થના નાશથી, જ્ઞાનીને શોક થતું નથી. હવે બીજી આત્માની ચાર પ્રકારની અવસ્થા છે, તે કહે છે. (૧) નિદ્રાવસ્થ. ( ૨ ) સ્વાવસ્થા. ( ૩ ) જાગ્રત અવસ્થા. (૪) ઉજા ગર અવસ્થા. તેમાં ભવ્ય તથા અભવ્ય સંસારી જીવને નિદ્રા તથા સ્વમ એ બે અવસ્થા હોય, તેમજ ભવ્યને ભવ્યત્વપણને પરિપકવકાલ તેરમે ગુણ ઠાણે થાય, ત્યારે એ બે અવસ્થાને નાશ થાય છે, અને જાગ્રત અવસ્થાની પ્રાપ્તિ થાય છે. તથા ચઉદમાં ગુણઠાણના અન્તથી સિદ્ધમાં ઉજાગર અવસ્થા હોય છે. એમ આનંદઘન ચોવીસીમાં. મલ્લિનાથના સ્તવનમાં છે. તેમ વળી ચાર અવસ્થા બીજ
For Private And Personal Use Only