________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪૨)
ચાલતા દેખીને તેમના ભેદ ન સમજનાર એમ વિચારે કે પાંગળાની દ્રષ્ટિ તે આંધળાની છે, એમ માની પ‘શુદ્ધિના અંધમાં આરોપ કરે તેવીજ રીતે દેહ અને આત્માના સંચેગને લીધે અજ્ઞાની આત્માના ધર્મને દેહમાં આરોપી ભ્રમ પામે છે. આવી ભૂલથી શરીરથી ભિન્ન આત્મ ધર્મ સમજત નથી. અને દેહથી ભિન્ન આત્મધર્મ જાણ્યા વિના મુક્તિ પામતા નથી. દેહથી ભિન્ન આત્મ ધર્મ છે, એવું જ્ઞાન નથી થયું ત્યાં અજ્ઞાની જીવ કર્મ માર્ગ સન્મુખ તિ કરે છે. અહિરાત્માને આમ થાય છે ત્યારે અંતરાત્મા કેમ કરે છે તે બતાવે છે.
दृष्टभेदो यथा दृष्टिं परन्धे न योजयेत् ।। तथा न योजयेदे दृष्टात्मादृष्टिमात्मनः ।। ९२ ।।
पंगु दृष्टि ज्युं अंध दृष्टिभेद नहु देत || आतम दृष्टि शरीर में त्यूं न धरै गुण हेत ॥ ७६ ॥
વિવેચનઃ—જેને દ્રષ્ટિભેદનો ખબર છે, તે પુરૂષ જેમ પાંગળાની દ્રષ્ટિ આંધળાની માનતા નથી, તેમ જ દેહ અને આત્માના ભેદને જાણનાર એવા અન્તરાત્મા છે તે આત્માની દ્રષ્ટિ દેડુસાં આરોપતા નથી. આત્મજ્ઞાની શરીરને પાતાનું માને નહીં, જળપકજવત્ ઉપયોગ દ્રષ્ટિથી અન્તરાત્મા સદાકાળ શરીરથી ન્યારા વર્તે છે. હવે બ્રાન્તિ
For Private And Personal Use Only