________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૧) એવી રીતે ભાવના કરવી કે જેથી સ્વપ્રમાં પણ ફરી થકી દેહને આત્મા સાથે યોગ ન થાય.
ભાવાર્થ –પ્રથમ તે પુદગલ તે હું નથી, એવી દ્રઢ ભાવના કરવી. અને પશ્ચાતું અરૂપી અસંખ્ય પ્રદેશી આત્મા તેજ હું છું, એવી ભાવના ભાવવી. સતત દ્રઢ ઉપએગ રાખ. આત્મા વિના અન્ય સર્વ વસ્તુ પોતાની નથી, એમ હૃદયમાં નિશ્ચય કરો. પિતાના સ્વરૂપમાં એક સ્થિર ઉપયોગમાં વર્તવુકે અન્ય કોઈ પદાર્થને જરા માત્ર પણ વિકલ્પ ઉત્પન્ન થાય નહિ, નિર્વિકલ્પ દશ ઉત્પન્ન થાય એમ સતત અભ્યાસ કરે. સ્વપ્રમાં પણ દેહ સાથે આ માને યોગ ન થાય. એટલે સુધી અભ્યાસ વધારે. આવી દશા તેજ ક્ષમાર્ગનું પગથીયું છે. આવી દશા જેને હોય, તેજ પુરૂષ મોટામાં માટે સમજ કોઈ મુનિરાજ તપ કરે, કેઈ અભ્યાસ કરે, તેના કરતાં પણ આત્માની આવી ધ્યાન દશામાં વર્તે તે મહા મોટા પુરૂષ સમજવા.
ક્યાં સંકલ્પ વિકલ્પ દશા ! અને કયાં નિર્વિકલ્પ દશા ! કયાં આકાશ! અને કયાં પાતાળ ! તેટલે ફેર આમાં વર્તે છે. બાહ્ય ઉપાધિ ઉપરથી ત્યાગ ભાવ જ્યારે થાય, અને સારમાં સાર આત્મા છે, એમ સત્ય જ્યારે હૃદયમાં ભાસે, ત્યારે આત્માના ધર્મ ઉપર રૂચિ થાય છે. આત્માના ધર્મની પ્રાપ્તિ માટે પ્રવૃત્તિ થાય છે, અને સંસારમાં ચેન પડતું
For Private And Personal Use Only