________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
| ૭૭
સહેવું ન શીખ્યા જે જ તે લેશ પણ શીખ્યા નહીં, આઘાત બહુ જે ના સહ્યા તે શાન્તતા દૂર રહી, આઘાત સહી જે મસ્ત હૈ વહેતા રહે કુદ્રતપણે, આરોગ્ય શાન્તિ સુખ લહે એવું જ સન્તો જગ ભણે. ૩૦૭ અનેક મનુષ્યાદિના પ્રસંગ છતાં વા નહિ છતાં સ્વકાર્ય કર્યા કરવું. આવે મનુષ્ય પાસમાં દિન રાત્રિ સમયે ભાવથી, કાર્યો કરે નિજદ્રષ્ટિથી પણ ફર્જ વણ પરવા નથી; જલપાન આદિ કારણે આવે પશુઓ પાસમાં, જલયાનથી સંતોષી હૈ પંખી જતાં આવાસમાં. ૩૦૮ આવે સદા એ પ્રાણીઓ નિજ ફર્જથી વહેતી રહે, આવે ન આવે હેચે તું ઝરઝરર ભાવે વહે; આવે નહીં અવળી થતી નહિ આવતાં નિર્બલ નહીં, આવે ન આવે નહિ જુવે કર્તવ્યથી રહેતી વહી. ૩૦૯ આવે સહુ કર્તવ્યથી વહેતી રહે કર્તવ્યથી, કર્તવ્ય કરવામાં રણાંગણમાં વહે છે મહારથી; કર્તવ્ય સહુનું સહુ કરે ત્યાં હર્ષ શેક જ ના ઘટે,
www.kobatirth.org
For Private And Personal Use Only