________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રતિજ્ઞા પાલન.
લાભ મળી શકતે નથી. ભાવ કરીને ફરી જાય, પગાર ઠેરવીને ફરી જાય, વચન આપીને ફરી જાય, સાક્ષી થઈ ફરી જાય, જઠી સાક્ષી આપીને વિશ્વાસઘાત કરી, લક્ષ્મીને લેભી બની,ગળાં કાપનારા કસાઈની સ્પર્ધા કરનારા શેઠીયાની બહાની અને અન્તની કાળાશ ખરેખર દુનિયાને શાંતિસુખ આપી શકવા સમર્થ નથી. અનેક જનના સુખમાં ભાગ લેવાને જે શેઠાઈ ન હોય તે શેઠાઈથી કંઈ કલ્યાણ નથી. પ્રતિજ્ઞાપાલનગુણ વિના ખરી શેઠાઈને એળે (પડછાયે) પણ પ્રાપ્ત કરી શકાતું નથી. પ્રતિજ્ઞાપાલનપુણ વિના શેઠીયાનું મુખ ખરેખર ઝુંપડીમાં રહેનારે ગરીબ પ્રમાણિક વેઠીયાના મુખની તેલે કદાપિ આવી શકતું નથી. સત્તાધિકારિયા તરફથી અને વિદ્યાધિકારિયે તરફથી અનેક ઈલકાબેને પ્રાપ્ત કર્યા છતાં પણ પ્રતિજ્ઞાપાલનગુણ વિના કદાપિ આત્મોન્નતિ થઈ શકતી નથી. પ્રતિજ્ઞાપાલનગુણ વિનાના મનુષ્યના ઈલ્કાબે ખરેખર ચંદ્રમાં દેખાતી કાલિમાની શેભાને ધારણ કરી શકે છે. બેલ બેલીને ફરી જનાર અને બેલ્યા પ્રમાણે ન વર્તનાર પ્રતિજ્ઞા ભ્રષ્ટ મનુષ્યના ઇલ્કાબે ખરેખર ખસીયા મનુષ્યના ફલા જેવા શેભે છે. કોઈ મનુષ્યને ઈલકાબ મળે તેથી તે મહાન થઈ શકતા નથી. પ્રતિજ્ઞા પ્રમાણે વર્તવું એવા કુદરતી ઈલ્કાબથી આત્માની જે ઉન્નતિ થાય છે તે અન્યથી થતી નથી. અમુક મનુષ્ય અમુકને અમુક વખતે મળવાને અને અમુક કાર્ય કરવાને કલ આ હેય અને પશ્ચાત્ તે પ્રમાણે ન વર્તે તે તે સ્વજીવન મૂળ મંત્રરૂપ પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ થાય છે. પ્રતિજ્ઞા ભ્રષ્ટ થવાથી પોતાનાં સર્વ શુભ કાર્યો પર પાણી ફરે છે. મુખ વિનાનું શરીર જેમ શોભતું નથી, તેમ પ્રતિજ્ઞાભ્રષ્ટ થવાથી અન્ય શુભ કાર્યો પણ શોભતાં નથી, કહ્યા પ્રમાણે વર્તવું, જે વચન બોલવું તે પ્રમાણે નિયમસર ચાલવું, એવું જે મનુષ્ય રહેણીથી ભણતર ભ નથી તેની શેઠાઈ, વિદ્વત્તા, સત્તા અને ઇલ્કાબા સર્વ પર પાણી ફરે છે એવું અવધારીને મનુષ્યએ પ્રતિજ્ઞા પાળક બનવું જોઈએ.
सुधारक जो बन्यो त्हों | परीक्षक जो बन्यो त्हों शुं ? प्रतिज्ञा टेक ना धार्यो, अलेखे जन्म मानवनो. ६२ ॥
For Private And Personal Use Only