SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રતિજ્ઞા પાલન. ૪૯ પ્રતિજ્ઞા પાળવા માટે પ્રાણત્યાગ એ ઉત્સવ સમાન આનન્દપ્રદ કર્તવ્ય સમજાય છે અને પ્રતિજ્ઞા પાલનથી સત્ય નતિ સાધી શકાય છે એમ જગજાહેર કરવામાં આવે છે. પ્રતિજ્ઞા ભગ જે કરતા-ખરા તે ભંગીઓ જગમાં, પ્રતિજ્ઞા ત્યાગ રૃપ વિઝા-વદનમાં જે ગ્રહે પાછા ૨૫ વિવેચન–જગતમાં, હિંદુસ્થાનમાં વિષ્ઠાના ઉપાડનારાઓને ભંગીએ કહેવામાં આવે છે. ભંગીઓ નીચ ગણાય છે. પરંતુ જ્ઞાનીઓ કળે છે કે તે ભંગીઓની જાતથી ભંગીએ છે પરંતુ વાસ્તવિક ભંગીઓ તે જે પ્રતિજ્ઞાઓ-(બેલેલા બેલને) પાળતા નથી તેજ જાણવા. જાતિથી ભંગીઓ વિષ્કાના ટેપલાને ઉપાડીને નગર–ગામવા શહેર બહાર ફેંકી દે છે, અને પ્રતિજ્ઞા ભંગથી બનેલા ભંગીઓ, તે પ્રતિજ્ઞા ત્યાગ રૂપ વિષ્ઠાને પાછી મુખમાં ગ્રહણ કરે છે. અહાહા ! આ તેઓનું ભંગીપણું તે આશ્ચર્ય ઉપજાવે એવું છે. આ વિશે તેઓને ભાગ્યેજ ખ્યાલ હોય છે. જ્યાં જ્યાં નજર પડે ત્યાં ત્યાં આવા પ્રતિજ્ઞા ભ્રષ્ટ ભંગીઓને બઝાર તે ખુલ્લે સમ. તેમાં દાખલ થવાને પાસની જરૂર રહેતી નથી. એક વખત પ્રતિજ્ઞા-કેલ, વચનને ભંગ કરે એટલે તમે પણ તે બઝારના મેમ્બર થઈ ચૂક્યા સમજવા.. શુભ કાર્યો કરવા માટે વા કેઈને વિશ્વાસ ભંગ નહિ કરવા સંબંધી વા રહસ્ય ભંગ નહિ કરવા સંબંધી આપેલી પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ થઈ ગમે તેવા શેઠના વા રાજાના વા અધિકારીના વેશમાં રહેવા છતાં ભંગીના કરતાં વિશેષ ઉત્તમ જીવન તે નથી જ એમ ખાસ સમજવું. ભલે-પ્રાતઃકાળે ચાના કપ ઉડા, માલ મિષ્ટાન્ન ખાઓ, ચિરૂટ મેમાંથી દૂર નહિ મૂકવાની બાધા લે, પરંતુ રાત્રિ દિવસ તમારા હૃદયમાં પ્રતિજ્ઞા ભ્રષ્ટ રૂપી કીડે સદા હૃદયને કતરી ખાશે એમાં લવલેશ શંકા નથી. આ વાત અનુભવ સિદ્ધ છે, એવું તેઓને સદા માલુમ પડે છે, પણ સ્વાર્થ તેઓને અંધ બનાવે છે. મનુષ્યએ વચન આપતાં પૂર્વે હજાર વિચાર બલકે કરડે વિચાર કર્યો For Private And Personal Use Only
SR No.008639
Book TitlePratigya Palan
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages111
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy