SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨ પ્રતિજ્ઞા પાલન. કકક કકકત પ્રતિજ્ઞાભ્રષ્ટની સ્થિતિ. સ્વયં હસ્તે વચન આપી-ફરે તે ગટીએ છે. કરી કાળું વદન નિજનું,-તે હડધૂત જગમાંહિ ૮ વિવેચન-કઈ પણ મનુષ્ય કઈને કઈ પણ બાબતનું સ્વહસ્તે વચન આપીને ફરે છે તે ફ્રગટીઓ અર્થાતુ નકામે છે. એ નકામે મનુષ્ય પોતાનું મુખ કાળું કરીને વિશ્વમાં હડધૂત થાય છે. સ્વહસ્તે વચન આપી ફરી જનાર ફેગટીઓ મનુષ્ય સ્વમુખને કાળું કરે છે એટલું જ નહિં પણ પશ્ચાત્ કઈ પણ સ્થાને તે માન પામતે નથી, તેની લોકે નિંદા કરે છે, તેના બેલ ઉપર વા તેણે કરેલી પ્રતિજ્ઞા ઉપર કેઈને વિશ્વાસ આવતું નથી. તે સ્વકર્ણ સ્વાપમાન સાંભળે છે, તેથી તે હાથવરાળ કરે છે. અને તેનું પરિણામ એ આવે છે કે તે જીવતાં મૃત્યુવશ થયેલે જ જણાય છે. પ્રતિજ્ઞા એજ મનુષ્યને આત્મા છે. તેથી પ્રતિજ્ઞા પતિત મનુષ્ય જગતમાં હડધૂત થાય છે, એમાં આશ્ચર્ય નથી. લાલચ અને ભય વિગેરેથી ઘણુ મનુષ્ય વચન ભ્રષ્ટ થાય છે. સ્વહસ્તે કરેલી પ્રતિજ્ઞાથી કદાપિ જે મનુષ્ય ભ્રષ્ટ નથી થતા તેઓ દેદીપ્યમાન મુખે જગતમાં જ્યાં ત્યાં ફરી શકે છે. આપેલ વચન પાળનાર જગતમાં જ્યાં ત્યાં સન્માન, આદરસત્કાર વિગેરે માનનીય વસ્તુઓને પામે છે, અને નીચ દશામાંથી વિમુક્ત થઈને ઉચ્ચ દશાની પ્રાપ્તિ કરે છે. મરૂ ભૂમિને એક મનુષ્ય વણજારે થઈ ગુર્જર રાણની રાજ્યધાની રાજનગર ઉર્ફે અહમદાવાદમાં આવી ચડે, તેને પાંચ હજાર રૂપીઆની જરૂર પડશે. તેની પાસે કઈ પણ વસ્તુ ન હતી કે જે તે કઈપણ વેપારીને ત્યાં બાના તરીકે મુકી શકે. તેણે એક શાહુકારની પેઢી ઉપર આવી પાંચ હજારની માંગણી કરી, અને બાનામાં પિતાની મૂછને એક વાળ તેને આગે. શાહુકાર ચતુર હતા તેથી તેણે પ્રશ્ન કર્યો કે વાળ વાંકે છે, ત્યારે મારવાડીએ પ્રત્યુત્તર આપે કે “વાંકે પણ માંકે હૈ વકે પણ મારે છે. એ પર વિશ્વાસ For Private And Personal Use Only
SR No.008639
Book TitlePratigya Palan
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages111
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy