________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રતિજ્ઞા પાલને. ~ ~~ ~ ~ ~~~~~~~~~~~ ~~~~~~~ ~~~ -~~ ગ્રહી શકાય છે, પણ પશ્ચાત્ પ્રતિજ્ઞા પાલનને સમય અતિ દુષ્કર લાગે છે. સર્વ પ્રકારના સુખને ત્યાગ કરીને પ્રતિજ્ઞા પાળવી પડે છે. પ્રતિજ્ઞા પાળવામાં જ અનેક મનુષ્યના પ્રાણની આહુતિ અપાય છે. પ્રતિજ્ઞા પાલતાં કિંચિત્ પણ પશ્ચાત્તાપ કરે આવશ્યક નથી. જોકલજજા, કાયરતા, બીકણપણું વગેરે અવગુણેને ત્યાગ કરીને પ્રતિજ્ઞા પાળવી જોઈએ. પ્રતિજ્ઞા પાળવા માટે કઈ સમયે શૂળી વા ફાંસીના લાકડા પર ચડવાને પ્રસંગ પ્રાપ્ત થાય છે. ધડપરથી શીર્ષ જુદું પ્રથમથી કરીને પ્રતિજ્ઞા પાલનમાં પ્રવૃત્તિ કરવી પડે છે. જે મનુષે ડરકુમીયાં જેવા હોય છે તેઓ પ્રતિજ્ઞારૂપ દિવ્ય ચિતામાં પેસવાને અધિકારી નથી. લાભાલાભ, કર્તવ્યાકર્તવ્યને વિવેક કરીને પ્રતિજ્ઞા ગ્રહણ કરવી જોઈએ, અને પશ્ચાત ક્ષત્રિયેની પેઠે કેશરીયા વા જુહાર કરીને પ્રતિજ્ઞાનું પાલન કરવું જોઈએ. પ્રતિજ્ઞારૂપ ચિતામાં બળી ભસ્મસાત્ થઈ મારે દિવ્ય પ્રમાણિક દેવજીવને જીવવું છે. એમ જે પૂર્ણ નિશ્ચય થાય તે કોઈ જાતની પ્રતિજ્ઞા લેવી જોઈએ. કેઇ સિંહ સમાન શૂર બનીને પ્રતિજ્ઞા ગ્રહે છે અને પાલતી વખતે શિયાળ સમાન બને છે. કેઈ સિંહ પ્રમાણે પ્રતિજ્ઞા કરે છે અને સિંહ પ્રમાણે પ્રતિજ્ઞા પાળે છે. કઈ શિયાળ સમાન થઈ પ્રતિજ્ઞા કરે છે અને સિંહ સમાન બની પ્રતિજ્ઞા પાળે છે. કેઈ શિયાળ સમ બની પ્રતિજ્ઞા ગ્રહે છે અને શિયાળ સમ પ્રતિજ્ઞા પાળે છે. કઈ પણ વચન, કલ આપતાં પૂર્વે વિચાર કર જોઈએ. વચન અર્થાત્ કેલનું પાલન કરવામાં તે સતી જેમ ચિતામાં બળીને ભસ્મ બને છે; તેમ આત્માર્પણ કરવું જોઈએ. પ્રાણપતિને ખોળામાં લઈ સતીસી ચિતામાં બેસે છે, તેના મનમાં મૃત્યુને લવલેશ ભય રહેતું નથી. પતિના પૂર્ણ પ્રેમથી રવપ્રાણની અગ્નિને આહુતિ આપવામાં તે જરા માત્ર ખચકાતી નથી, તેમ પ્રતિજ્ઞા પાળવામાં શૂરવીર મનુષ્યોએ પ્રવર્તવું જોઈએ. રાજપુતાનાના શિરછત્ર પિતાતુલ્ય રાણા ભીમસિંહ કેસરીયાં કરીને અન્ય સજપુતે સાથે વિદાય થયા તે પૂર્વે મહારાણી પદ્મિનીએ અન્ય સજપુત છીએ તેમજ સુકુમાર બાળાઓ સાથે એક પ્રચંડ
For Private And Personal Use Only