________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રતિજ્ઞા પાલન
૧૭
*
*
* **
*ક
v
પ્રતિજ્ઞાનું દિવ્ય જીવન દર્શાવે છે.
મૂળી.
પ્રતિજ્ઞા છે ચિતા જેવી, જીવંતાં ભસ્મ થાવાનું; અહો એ ભસ્મમાંહિથી, જીવીને દેવ થાવાનું
પ્રતિજ્ઞા ચિતાના જેવી છેપ્રતિજ્ઞારૂપ ચિતામાં જીવતાં છતાં બળીને ભસ્મ થવું પડે છે. પશ્ચાત્ પ્રતિજ્ઞાપાલન રૂ૫ ભસ્મમાંથી પુનરૂજજીવન ગ્રહીને દેવ થવાય છે. પ્રતિજ્ઞારૂપ ચિતામાં આત્માને હેમ્યા વિના કે મનુષ્ય દેવ બની શક્યું નથી. ધગધગતી ચિતામાં બળીને ભરમ થવું એવું જેના મનમાં હોય તેણે પ્રતિજ્ઞારૂપ ચિતાને ગ્રહણ કરવી જોઈએ. ચિતામાં બળીને જેટલું દુઃખ સહન કરવું પડે છે તેટલું જ દુઃખ ખરેખર કેઈ જાતની પ્રતિજ્ઞા પાળતાં સહન કરવું પડે છે, અને પશ્ચાત્ કેઈ દૈવીરૂપ નવું જીવન ગ્રહણ કરવું પડે છે. ઈંગ્લાંડની રાણી મેરી પહેલાના વખતમાં પ્રેટેસ્ટન્ટ ધર્મને માટે લેટીમર અને રીડલી નામના બે ધર્માધ્યક્ષોને જીવતા ચિતામાં બાળી નાખવામાં આવ્યા હતા. તેઓએ ફક્ત પિતાની પ્રતિજ્ઞાની ખાતર એક બીજાને બાઝીને, એક સ્વર પણ ઉચાર્યા વિના આનંદ સાથે ધર્મની ખાતર જીવનની આહુતિ આપી હતી. કિન્તુ એક અંશ માત્ર પણ સ્વપ્રતિજ્ઞામાંથી ડગ્યા નહતા. આ નવા યુગમાં જે કે તેઓનું શરીર નાશ પામેલું છે તથાપિ તેઓ ઈતિહાસના પાને ન અવતાર ધારણ કરીને કતિરૂપ દેવીની માળા સ્વક ઠેઆરેપણ કરી બીરાજે છે.
પ્રતિજ્ઞા પાલક ચિતામાં બળીને ભસ્મ થયા પશ્ચાત્ દેવાવતાર લેવા બરાબર પ્રતિજ્ઞાપાલન રૂપે કર્તવ્ય પ્રવૃત્તિ કરે છે. ઉત્તમ સાહસિક પુરૂષવિના પ્રતિજ્ઞારૂપ ચિતામાં બળી ભરમસાત થઈ, અન્ય દેવાંશી જીવન ગ્રહી શકાતું નથી. અમુક જાતના વિચારના આવેશમાં આવીને પ્રતિજ્ઞા
For Private And Personal Use Only