SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રતિજ્ઞા પાલન. ૧૧ કૃતિ રૂપ પ્રતિજ્ઞા પર વિશ્વાસ નથી, તેને સ્વાત્મા પર વિશ્વાસ નથી. એટલું જ નહિ પરંતુ તે આત્માને પરમાત્મ દશા પ્રાપ્ત કરવાને તથા સ્વાસ્તિત્વ સંરક્ષણ કરવાને અધિકારી બની શકતું નથી. આત્મ છાયા રૂપ પ્રતિજ્ઞા પર જેને બહુ માન નથી. તેને સ્વાત્માપર બહુ માન નથી. પ્રતિજ્ઞા પાલન માટે જે પ્રાણ સમર્પણ કરે છે, તે આત્માની સર્વથા ઉન્નતિ કરે છે, એમ સમજવામાં કિંચિત્ પણ મૃષાવાદ નથી. વિક્રમ રાજાએ પિતાની પ્રતિજ્ઞા પાળવા માટે “પ્રતિજ્ઞા પ્રાણની છાયા” એ સૂત્રને સારી રીતે આચારમાં મૂકી બતાવ્યું છે. પ્રતિજ્ઞાનું પાલન કરવું એ આત્માના પાલન તુલ્ય છે, તેથી પ્રતિજ્ઞાને આત્માની છાયા રૂપ સમજીને સન્ત ગિઓ સર્વ વસ્તુઓને કારણ પ્રસંગે ત્યાગ કરીને પ્રતિજ્ઞા પાલન કરવામાં સદા ઉગી રહે છે. “કદાપિ આકાશ ચળે, પૃથ્વી ચળે, પરંતુ સન્ત મહાત્માઓનું વચન ચળતું નથી.” એમ જે યુકિત પ્રચલિત છે, તેના સાર “ પ્રતિજ્ઞા આત્મની છાયા” માં સમાઈ જાય છે, એમ સમજીને પ્રતિજ્ઞા પાળવામાં કદાપિ પાછી પાની ન કરવી જોઈએ. જે સ્વાત્મછાયારૂપ પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ થાય છે તે સર્વ ધર્મથી ભષ્ટ થાય છે, એવું જાણું આત્મિક શક્તિ ખીલવવાને રાજા હરિશ્ચંદ્રની પેઠે પ્રતિજ્ઞા પાળક બનવું જોઈએ. પ્રતિજ્ઞા ભ્રષ્ટ થઇ જગમાં-જીવ્યા તે શું? મર્યા તે શું? પ્રતિજ્ઞા પાળીને સુઆ-રહ્યા એ જીવતા જગમાં. ૪ મનુષે અનેક વખત પ્રતિજ્ઞાઓ લે છે અને ભંગ પણ કરે છે. લીધેલી પ્રતિજ્ઞાથી ઘર થયા પછી તેઓ જીવે છે ખરા પણ મૃતવત્ જેવાજ છે. પિતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરીને જે આત્માએ આ ફાન દુનિયા ત્યજીને ચાલ્યા ગયા છે. તે પણ જગમાં તેમની જીવન તિ રવિસમ પ્રકાશમાન રહેલી છે. મનુષ્ય હરતાં ફરતાં પતિજ્ઞા લે છે , વચન આપે છે, કેલ કરાર કરે છે પણ અફસની બને છે કે તેઓ શું કરે છે? તેનું તે વખતે તેઓને ભાગ્યેજ ભાન હોય છે. કાર્ય કરતાં પહેલાં દીર્ધ દ્રષ્ટિ વાપરવી જોઈએ, નીતિશતકમાં કહેલું છે કે, For Private And Personal Use Only
SR No.008639
Book TitlePratigya Palan
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages111
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy