________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
वर्णनम्, नानापक्षिगणैः सुना दिततटा नित्यप्रवाहोर्मयो
राजन्ते रजनिकराभसलिला अन्या अपि क्षेमदाः । यत्राऽनेकतपस्विनः सुमनसः स्नानादिकां सक्रियां,
कुर्वन्तः कलयन्ति भूतिमखिला नद्यः पयोधिप्रियाः ॥ ९ ॥ વળી જે દેશની અંદર નિરંતર પ્રવાહમાં ઉછળતા તરંગને વહન કરતી અન્ય નર્મદા વિગેરે બીજી નદીઓ પણ પ્રાણીમાત્રને સુખદાયક વર્તે છે, જેમના કાંઠાઓ ઉપર અનેક પ્રકારના પક્ષિઓના સમૂહ મનોહર નાદ કરે છે, ચંદ્રના કિરણ સમાન નિર્મલ જળણું સર્વને તૃપ્ત કરે છે, તેમ જ વિશુદ્ધ મનવાળા અનેક તપસ્વિઓ જેમના શુદ્ધ જળમાં સ્નાનાદિક ધાર્મિક ક્રિયાઓ કરે છે, જેથી તેઓ સર્વ સમૃદ્ધિઓના પાત્ર બને છે, અને તે સર્વ નદીઓ સાગરને પ્રિય થાય છે–અર્થાત્ અખંડ પ્રવાહથી સાગરને મળે છે. ૯. विक्षोभं सरितां हरन् जलनिधिर्यद्दक्षिणस्यां दिशि,
रत्नानां निचयं सदा परिदधद्रत्नाकरत्त्वं गतः । लोलद्भङ्गतरङ्गराजिविलसन्मर्यादयासंस्थितो
गर्जत्यात्मसमुन्नति बहुविधां सन्दर्शयन् संज्ञया ॥१०॥
જે દેશની દક્ષિણ દિશામાં સરિતાઓના પ્રવહન રૂપ વિક્ષોભને શાંત કરેતો સાગર, સંકેતવડે વિવિધ પ્રકારની પિતાની ઉન્નતિને જાહેર કરતો હોય તેમ ગર્જના કરે છે, વળી હંમેશાં જે સમુદ્ર અમૂલ્ય રત્નોને ધારણ કરવાથી “રત્નાકર ” એ નામથી પ્રસિદ્ધ છે, અને જે મહાસાગરની અંદર પ્રચંડ તરંગોની શ્રેણુઓ ઉછળે છે છતાં પોતાની મર્યાદા છોડતો નથી, જેથી તે સાગર કહેવાય છે. ૧૦. मैनाकादिनगा यदीयशरणं भेजुः पुरा त्रासिताः, __देवेन्द्रेण गरुद्गणं क्षपयता दीव्यौषधिद्योतकाः । येनाऽत्रैव वसुन्धराऽम्बरवती प्राज्ञैः सदा गीयते, विख्यातोऽत्रपरोपकारकरणे धौरेयभावं गतः ॥ ११ ॥
For Private And Personal Use Only