________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જાય છે, તેમને આ જગતના પદાર્થોની અસારતાને ખ્યાલ આપી સહૃવસ્તુ તરફ દેરવા એ ઈષ્ટ અને આદરણીય છે.
આ જગતમાં સુખ નથી, એમ તો કઈ કહી શકે નહિ. સુખ એવો પદાર્થ તે છે માટે જ જગતના જે તે સુખ મેળવવા અનેક વસ્તુઓની પાછળ ગાંડાની માફક ભમ્યા કરે છે, પણ તે સુખમાં ત્રણ અવગુણ રહેલા છે. તે સુખ ક્ષણિક છે-ઘણું જ અને સ્થિર છે. તે સુખ દુઃખગર્ભિત છે. કારણ કે સુખ આપનાર પદાથનો વિશેષ ઉપભોગ કરવામાં આવે છે ત્યારે તેજ પદાર્થ દુ:ખના કારણભૂત થાય છે. જે તે પદાર્થમાં સુખ હોય તે પછી તે દુઃખકારક શી રીતે થઈ શકે? વળી જગતના પદાર્થોમાં સૌથી મે અવગુણ એ છે કે તે મળ્યા પછી બીજા સુખની આકાંક્ષા રહે છે. જ્યાં સુધી કોઈ વસ્તુની પ્રાપ્તિ થઈ નથી, ત્યાં સુધી તે વસ્તુ અતિ મેહક લાગે છે. તેની પ્રાપ્તિને વાસ્તે જીવ રાત દિન તલપે છે. પણ તે વસ્તુ મળતાં તેમાંથી મોહકતા ચાલી જાય છે, અને જીવ બીજી કોઈ સુખ આપી શકે તેવી વસ્તુ મેળવવા માટે પ્રયત્નશીલ થાય છે. આ ત્રણ કારણ માટે જગતના તમામ પદાર્થો પ્રત્યે વૈરાગ્ય ભાવ ખીલવવાનો છે. તેની સાથે ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે વૈરાગ્ય ભાવ ધારણ કરી ઇન્દ્રિો પર જ મેળવવાને છે. વિષયના પદાર્થોની વચમાં રહી મેળવેલો જય વધારે ઉત્તમ પ્રકારે ગણી શકાય, પણ તે સ્થિતિ એકદમ પ્રાપ્ત થઈ શકે નહિ, પ્રારંભમાં તે મનુષ્ય ઈદ્રિયોના ને તે વિષયે થી બલાત્કારે પણ દૂર ભાગવું જોઈએ. આને કોઈ હક યોગ કહે તો ભલે કહે, પણ પ્રારંભમાં તે જરૂરનું છે આથી ઉપશમ થશે.
વિષયાનું નિવને નિરાહાર નિ: જે આત્મા
For Private And Personal Use Only