________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૧૩૫ :
કરીએ ક`ના અંત, સુજ્ઞાની; ઘાતી અઘાતી ક્ષય કરી ભાગવા, શાશ્વત સુખ અનંત, સુજ્ઞાની. શ્રી સુનિ॰ ૧૨. એમ ઉત્તમ ગુરુવયણ સુણી કરી, પાવન હુવા બહુ જીવ, સુજ્ઞાની; પદ્મવિજય કહે એ સુરતરુ સમેા, આપે સુખ સદૈવ, સુજ્ઞાની. શ્રી સુનિ॰ ૧૩.
અભવ્યને ઉપદેશ ન લાગવાની સજ્ઝાય
ઉપદેશ ન લાગે અભવ્યને, બહુવિધથ્થુ અઝવે કાય રે; ગંગાજળ નવરાવીએ, પણ વાયસ' હંસ ન હાય રે. ઉપદેશ ૧. જેમ જેમ તાસ પ્રતિએધીએ, તેમ તેમ બમણેા થાય રે; કુટિલ અશ્વતણી પરે, આડાઅવળા તે જાય રે. ઉપદેશ ૨. પયને સાકર પાતા થકાં, વિષધરને વધે વિષપૂર રે; હાણુ કરે હિત દાખતાં, તે માટે વસીએ દૂર રે. ઉપદેશ॰ ૩. અજાણુ દુ:ખે સમજાવીએ, સુજાણ ઘણું સુલભ રે; 'દાધારંગા માનવી, મુઝવવા મહાદુલભ રે, ઉપદેશ ૪. મારક ઉદાયી રાયના, નસુચી નામે પ્રધાન રે; બાર વરસ લગે મુઝવ્યા, પણ ન વળી તસ સાન રે. ઉપદેશ॰ ૫. શિખામણ દેતાં થયાં જે, સમજે નહીં કલ્પાંત રે; અવગુણકારી તે જાણવા, સુગ્રહી વાનર દૃષ્ટાંત રે. ઉપદેશ॰ ૬. કુસંગી સંગ ન કીજીએ, ધરીએ નવપદ ધ્યાન રે; ઉદય સદા સુખ
૧ કાગડા. ૨ દૂધ. ૩ સ. ૪ હઠીલા.
For Private And Personal Use Only