________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૪ )
મુ. પાદરા. લેખક બુદ્ધિસાગર. શ્રી મુંબાઈ તત્ર શ્રદ્ધાવંત દયાવંત દેવગુરૂ ભક્તિકારક સુશ્રાવક વીરચંદભાઈ કૃણાજી યોગ્ય ધર્મલાભ. વિ. વકીલ શા. મેહનલાલભાઈની શ્રદ્ધાભક્તિ અહીં વર્ષે ચોમાસું કરાવશે એમ લાગે છે. તમને આવવા પત્ર લખ્યું હતું પરંતુ હાલ તમે એવી સ્થિતિમાં છો કે પોતાને જ પણ ભાગ્યે યાદ કરી શકો તેમ છો. તમને લક્ષ્મી માયા હાલી લાગે છે. પરંતુ અંતરની લમી માટે બાહ્ય લેકાદિ સંજ્ઞાથી વખત પણ કાઢી શકે નહીં એમ તમ રી હાલની દશા છે. તમે કામને માટે લખે છે પરંતુ રૂબરૂમાં આવ્યા હતા તે કામની યાદી આવે છે? પત્ર નું કામ પત્રથી થાય છે અને સુખનું કામ મુખથી થાય છે અને આત્માનું કામ આત્માથી થાય છે એ કયાં તમે બાહા વ્યવહારના વિવેકી નાણી ન શકે ? મંડલનું કામ મંડલના હિસાબની ચેખવટ થયે થવાનું છે એમ નક્કી કર્યા બાદ હવે તે તે થયા પછી થશે એમ વકીલજીનું કહેવું છે. તમે પોતે જ મંડલરૂપ છો, ઉપશમ અને પશમ ભાવે અંતરમાં મંડલ ભરો કે જેથી બાહા મંડલની ઉપાધિમાં નિલેપ રહી શકાય. વડોદરા વગેરે શહેરની કીતિ કરતાં ગરીબ ભક્તની ભક્તિમાં આનંદ અનુભવાય છે, બાદ્યની કીર્તિ પ્રતિષ્ઠા મહત્તા ખરેખર નાકના મેલ કરતાં વિશેષ નથી. તેથી હવે તેમાં શું વિશેષ છે? લોકસંજ્ઞા કીતિસંજ્ઞા વગેરે વાસનાઓ છે તે આત્મા નથી તેથી તેમાં આસક્ત થવાની જરૂર નથી. આત્મભાવે જે થાય છે તે અનંત સુખની ઘંન આપે છે. માયાથી ભિન્ન આત્માનું ધ્યાન ધરો.
ભાઈ ભોગીલાલને તથા શાંતિ વગેરેને ધર્મલાભ. ચંદુલાલ પાલીતાણે ગમે છે પણ મળ્યો નથી. તમારા પુત્રોને તત્ત્વજ્ઞાન અપાયું નથી. અંતરમાં જ્ઞાન પરિણમે એ માટે તીર્થયાત્રા નવાણું કરે છે તો જંગમ નવાણું નિરૂપાધિપણે કરી અંતરમાં પરિણમી.
For Private And Personal Use Only