________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૨ ) વેદવાથી સાધુને સંવરભાવ વધે છે. કર્મના ઉદય વિના કેઈનું કેઈ બગાડવા સમર્થ નથી. કર્મ સમાન અન્ય કેઈ આત્માનું અશુભ કરનાર નથી. એવી શ્રદ્ધા ધારણ કર્યા વિના અન્ય જીની સાથે મૈત્રીભાવ બંધુભાવ રહેતો નથી. આત્માની સમાધિદશાને પ્રાપ્ત કરવાથી સાધુની ઉત્તમતા વધે છે, ગુજ્ઞા પરતંત્રતા સેવ્યા વિના અને અનેક દુઃખો સહ્યા વિના આત્મપ્રગતિ થઈ શકતી નથી. લઘુતા સમાનતા વિનય એ પોતાના મિત્રો છે તેનું ક્ષણ માત્ર પાસું મૂકવું જોઈએ નહીં. જ્ઞાનગર્ભિત વૈરાગ્ય વડે આત્માના સ્વભાવમાં રમતા કરવી એજ સાર છે, સ્વાર્થમય સંસારમાં પરમાર્થ કૃત્યે સાર છે. અન્ય મનુષ્યનું શ્રેય કરતાં તેઓ તરફથી ઉપાધિ થાય તો તે ઉપાધિને અમૃત તુલ્ય માની સત્પરૂ પશ્ચાત્ પડતા નથી અને કોઈનું બુરૂ કરવા વિચાર કરતા નથી પરતુ ઉલટું અન્ય જીનું વિશેષતઃ શ્રેયઃ કરવા મથે છે એવી દશામાં સદા પ્રવૃતિ થાઓ ફુલ્યવં.
૩૪ શાનિતઃ રૂ
તા. ૩૦-૧૨-૧૫.
મુકામ-માણસા. લિ. બુદ્ધિસાગર. વિજાપુર તત્ર મુનિશ્રી અછતસાગરજી વગેરે યોગ્ય અનુવંદના સુખશાતા. વિશેષ–તમારે પત્ર વાંચી સમાચાર જાણ્યા. વિશેષ. શારા અમથાલાલ રવચંદની સાથે આનન્દઘનબહોતેરી મોકલાવી છે. ચૌદશે પાક્ષિક પ્રતિક્રમણ કર્યા પશ્ચાત્ પ્રાય: એકવાર પ્રહર વ્યતીત થવાથી સ્વાધ્યાયને કાલ પૂર્ણ થાય છે તેથી પશ્ચાતું સ્વાધ્યાય કરશુ નિષેધ પરંપરાથી ચાલ્યો આવે છે. એમ અનુભવાય છે અને તેમજ પરંપરા પ્રવર્તે છે. તેથી તેને નિષેધ કરે પણ ઉપયોગી અવધા નથી. વિશેષ પાદુકા માટે નામ કરાવવા માટે લખ્યું છે તેના ઉત્તરમાં જાણવાનું કે
For Private And Personal Use Only