________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૮)
તા. ૨૦-૧૦-૧૩
મુ અમદાવાદ.
લિ૦ બુદ્ધિસાગર વગેરે ઠાણાં–છ શ્રી રાધનપુર તત્ર મુનિશ્રી અજીતસાગરજી તથા મુનિશ્રી છતસાગરજી તથા મુનિશ્રી મહેન્દ્રસાગરજી તથા મુનિશ્રી કીર્તિસાગરજી એગ્ય અનુવન્દના સુખશાતા.
વિક–હાલમાં પત્ર નથી, ત્યાં ઉપયોગથી વર્તવું. હાલમાં જૈનશાસન પત્રમાં સાધુઓની ચર્ચાઓ આવે છે તેથી જેના કામમાં અશાન્તિ ફેલાય છે. તેવી બાબતોની ખટપટથી સદા દૂર રહેવું. પરભાવમાં પડવું નહીં. પિતાના આત્માનું હિત કરવું. દરરોજ પન્યાસ નીતિવિજયજીને વાંદવા જવું. દરેક બાબતમાં પ્રસંગે ગમ ખાવી. આત્માના કલ્યાણુમાં વિશેષ ઉપયોગ દે. ઉચિત વ્યવહારથી સર્વનો સાથે ઉચિત વર્તીને માસું ઉતરતાં અમારી તરફ આવવું. પઠન પાઠન તરફ વિશેષ લક્ષ દેશે.
હું કોઈના પત્રથી વા કેઈના કહેવાથી કંઈ લખતે નથી પણ ઉપદેશ રૂપે મારા ધર્મ પ્રમાણે ફરજ તરીકે લખું છું. સર્વ સાધુઓને ભણાવવા સંબંધી ઉપગ રાખશે. આ કાલમાં આત્મસાધન કરવું તે ઘણું દુષ્કર છે. રાધાવેધ સાધવાની પેઠે ચારિત્ર સાધનમાં ઉપયોગ દે.
જ્ઞાતિઃ રૂ પન્યાસજી નીતિવિજયજી મહારાજને અમારી વંદના કહેશે અને કહેશે કે તમારી બાબતે થતી ચર્ચાથી હું દિલગીર છું. તત્સંબંધી કંઈ સૂચના આપવા જેવી હોય તે આપશે. બનતું કરીશું એમ કહેશે.
» રાતિઃ રૂ
For Private And Personal Use Only