________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧ ) શ્રી.
તા. ૧૭-૫–૯. મુક અમદાવાદ ઝવેરીવાડને ઉપાય.
લિ. બુદ્ધિસાગર. જીજ્ઞાસુ મુમુક્ષુ પ્રિય મહાશય હૃદયનિષ્ટ તથા પ્રેમી બધુ રોગ્ય યથાયોગ્ય પ્રેમદર્શન. વિ. કોઈની સાથે મંગાવેલાં પુસ્તકે વેગ મળે મોકલાવીશ વા અત્ર આવવાના છે તે અત્ર સમર્પણ કરીશ. આપનું સ્મરણ ચગ્ય વર્તનથી થયા કરે છે. આપની અપૂર્વ પ્રેમવૃત્તિ આત્મહિતાર્થની છે અને તે આત્મહિતાર્થમાં વૃદ્ધિ કરશે. વીરભગવાને જે આત્મધ્યાનને માર્ગ લીધો છે તે આદરણય છે. આત્માનું સ્વરૂપ જાણવામાં આવે છે ત્યારે હાલા બધુ બાહાને ભેદભાવ રહેતું નથી. સર્વત્ર સમાન ભાવના વર્તે છે. જૈનતત્ત્વમાં ફેરફાર નથી. આત્મામાં ફેરફાર નથી. દયાના વિચારે જેનામાં જેટલા છે તે તે અંશે તે દયાળું ગણાય છે. ત્યારે કે ના તરફ ભેદભાવ રાખ જોઈએ? અંતરમાં ઉતરીને જોતાં બાહ્ય ક્રિયા વેષમાં વાદવિવાદનું વિશેષ કારણ જ્ઞાનીઓને જણાતું નથી. નાતિ જાતિનાં ઘરનાં બંધને દૂર કરીને આપણે સર્વનું તથા પિતાનું ભલું કરવું જોઈએ. શ્રી આનંદઘનજી વગેરે આત્મજ્ઞાનીઓનાં પુસ્તકેથી આત્માનંદ પ્રાપ્ત કરવો જોઈએ. નિસ્પૃહ સાધુઓ વાડાના બંધનમાં પરતંત્ર રહી આત્મહિતમાં સત્સમાગમમાં ખામી રાખતા નથી. જ્યાં ત્યાંથી સ્યાદ્વાદ દૃષ્ટિથી સત્ય શોધી તેનું ધ્યાન કરશે. ઉત્તમ દેહ અને બુદ્ધિને હા . આપના બધુને પણ પ્રેમવંદન આત્મભાવે સમજાવશો. જગના ભલામાં શ્રી વીરનાં વાકય બહુ ઉપગી છે. વારંવાર તમારું મરણ થાય છે. વિશેષતા આત્મ જાગૃતિ રાખશે.
ॐ शांति ३
For Private And Personal Use Only