SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૬ શ્રી પરમાત્મ તિ: પણ ચિંતવન કર્યા વિના તેને ચાલતું નથી. માટે મનને અંતમુખ વાળવામાં આવે પણ તેને ચિંતવવાનું કાર્ય સોંપવું જોઈએ. બાહ્ય પદાર્થોનું ચિંતવન તે રાગ દ્વેષનું હેતુ છે. તેથી આત્મ સ્વરૂપનું ચિંતવન કરવું જોઇએ. આત્માના ગુણ પર્યાયના વિચારમાં મનને રેકવું. અન્તરમાં વળેલું ચિત્ત અને આત્માના વશમાં થાય છે. આત્માની મરજી વિના કંઈ પણ મન વિચાર કરવાને સમર્થ જ્યારે થતું નથી. ત્યારે આત્મા યેગી કહેવાય છે. મનને પોતાના વશ કરીને ભેગી આત્માને પરમાત્મ સન્મુખ કરે છે. અને અંતે આત્મા એજ પરમાત્મા થાય છે. આત્માના શુધ્ધપગમાં રમણતા કરતાં મન સ્થિર થઈ જાય છે અને પોતાને વિકલ્પ સંકલ્પનો ધર્મ ત્યાગ કરે છે. મનને જીતી અનત તીર્થ કરે પરમાત્મપદ પામ્યા અને પામશે. સંસારમાં મન માંકડા જેવું છે. માંકડું જેમ એક સ્થાનથી અન્ય સ્થાનમાં પરિભ્રમણ કરે છે. તેમ મન પણ તેવું છે. જ્ઞાન વિના મન વશમાં આવતું નથી. નવધા પ્રકારની “આત્મ કિયાથી મન વશમાં આવે છે. તેમજ શ્રાવકનાં બાર વ્રત પાળવાથી પણ અંશે અંશે મન છતાય છે. દશ પ્રકારે યતિ ધર્મ પાળ્યાથી પણ મન જીતી શકાય છે. જેમ જેમ મન સ્થિર થાય છે. તેમ તેમ સંયમની વૃદ્ધિ થતાં મહ પણ શમે છે. અને તેથી જ્ઞાનમાં પણ વૃદ્ધિ થાય છે. આત્મજ્ઞાન વિના મન આત્માના ધર્મનું ચિંતવન કરી શકતું નથી. મનને હઠગથી ગંધી રાખવામાં આવે પણ પાછું જરા છૂટું થયું કે જેવું હતું તેવું ને તેવું થાય છે. માટે જ્ઞાન ગથી મનને વશ કરવામાં આવે તે મને પોતાના વિકલ્પ સંકલ્પ ધર્મને છોડી દે છે. મન અખ્તરમાં વળવાથી ધાદિક દેને નાશ થાય છે. અંતે કર્મવરણને સર્વથા નાશ થવાથી - આત્મા’ તે જ પરમાતારૂપે પ્રકાશે છે. “શુપગરૂપ ઉચ્ચ ભાવનાથી ક્ષણે ક્ષણે આત્માને લાગેલાં આવરણ દૂર થતાં જાય છે. અને જે જે અંશે આવરણે દૂર થાય છે. તે તે અંશે For Private And Personal Use Only
SR No.008628
Book TitleParmatma Jyoti
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1909
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati, Soul, & Spiritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy