________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યોતિઃ ૩૬૧ ક્રમણ થયા કરે છે. અનંતવસ્તુઓને અવધવાને સ્વભાવ તેજ કેવલજ્ઞાન છે અને તે પરમાત્મામાં જ રહ્યું છે. સર્વ ગુણેના ક્ષાયિકભાવતઃ પરિપૂર્ણ શુદ્ધિરૂપ પરમાત્માવસ્થાનું અનંત અલૈકિકસુખ જેણે ભેગવ્યું છે તેણે જ ભગવ્યું છે. આત્મા તેવી સ્થિતિ પ્રાપ્ત કરે ત્યારે તેવી સ્થિતિને એલિકિક આનંદ ભોગવી શકે છે તેવી સ્થિતિવાળાને સહજાનંદ અદભૂત છે તેને બાહ્ય સ્થિતિવાળા પુરૂષો શી રીતે અનુભવી શકે. તે દશા ઉદ્દભવતાં તે દશાને આનંદ ભગવાય છે. ઘુકવૃન્દથી યથા રવિનું સ્વરૂપ અવકાતું નથી તકત અજ્ઞાનિમનુબેથી પરમાત્મસ્વરૂપ અવેલેકાતું નથી. આત્મિકદષ્ટિ પ્રગટ થતાં પરમાત્મસ્વરૂપ અવેલેકાય છે તો પણ વાણીથી તેનું સ્વરૂપ કથવું તે અકથ્ય છે. અનેક સૂત્ર ગ્રંથોને વાંચીને પણ સાર તે એ કાઢવાને છે કે આત્મામાં પરમાત્મત્વ તિરભાવે રહ્યું છે તેને આવિર્ભાવે કરવું. આત્મસ્વરૂપ જેવું છે તેવું જ છે. તેમાં કાંઈ નવું આવતું નથી અને છે તે જતું નથી. આવિર્ભાવ અને તિ ભાવની અપેક્ષાએ આવ્યું અને ગયું એમ કહેવાય છે. પરમાત્મત્વ પ્રગટાવવાની ઇચ્છા હોય તો અન્તરદષ્ટિ સદાકાળ રાખવી જે. ઈએ. બાહ્યકિયાની ધામધૂમમાં રંગાવવું જોઈએ નહિ. નિમિત્ત કારણમાં ઉપાદાનપણુની બુદ્ધિ ધારણ કરવી જોઈએ નહીં. અન્તરાત્મશક્તિ ખીલવવાને માટે સહજદશાનું અવલંબન કરવું જોઈએ. દુનિયાની રીતિથી પરમાત્મત્વ પામવાની રીતિ બિલકુલ ઉલટી છે માટે ભસવું અને આ ફાકવો એમ કરવું હોય તેણે પ્રથમથી જ વિચારવું કે આમ કરવાથી પરમાત્માના શુદ્ધ પ્રદેશમાં જઈ શકાતું નથી. બાહ્યપ્રદેશમાંથી અહંમમત્વ બુદ્ધિ ઉઠાડતાં શુદ્ધાત્મપ્રદેશમાં સાદિ અનંતમા ભંગે જઈ શકાય છે. દુનિયાના કહેવા ઉપર આત્મસાધકે લક્ષ્ય આપવું નહિ. એક નિરાકાર નિરં. જન સાધ્યદષ્ટિરૂપ લક્ષ્યબિંદુમતિ ધ્યાન રાખવું. અન્ય સર્વ ઉપાધિમય કાર્ય પરિહરવાં. શુભાશુભ સર્વ ભાવપર ચિત્તવૃત્તિને
For Private And Personal Use Only