________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિ:
૧૬૩ થાય છે. આત્મા પિતે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ્વરરૂપ કહેવાય છે. સર્વ જગતમાં શાંતિ ફેલાવનાર અને માધ્યસ્થણ ફેલાવનાર “જિનદર્શન” છે. જિનદર્શનમાં કહેલા સાત નનું ગુરૂગમથી સ્વરૂપ સમજવું જોઈએ. જિનદર્શન અનાદિથી છે તેમજ મિથ્યાત્વ પણ અનાદિકાળનું છે. જિનદર્શનનું જ્ઞાન એલેકિક છે. જિનદર્શનથી મનુષ્ય
હાદિક દેને તે છે. શ્રી ચેવીસમા તીર્થંકર શ્રી મહાવીર સ્વામીની પૂર્વે પાર્શ્વનાથ અને શ્રી પાર્શ્વનાથની પૂર્વે શ્રી નેમિનાથ એમ રૂષભદેવ ભગવાન સુધી સમજવું. ઉત્સર્પિણીઆરામાં અને અવસર્પિણીઆરામાં ચોવીશ તીર્થકર થાય છે. તેઓ પદ્રવ્ય અને નવ તત્વનું સ્વરૂપ કેવલજ્ઞાનથી કહે છે ધર્મસ્તિકાય આદિષદ્રવ્ય જાણું આત્મતત્તવને આદર કરે. તેથી રાગદ્વેષને નાશ થાય છે. આત્માના સ્વરૂપમાં જ્ઞાન ધ્યાનથી રમણતા કરવી તે અન્તર્ ક્રિયા છે. અને પાંચમહાવ્રત પાળવા તે બાહ્ય ક્રિયા છે. બાહ્ય ક્રિયાઓમાં ગચ્છગચ્છના ભેદથી મતમતાંતર છે. પણ સાધ્યને લક્ષી બાહ્ય ક્રિયાઓના ખંડનમંડનમાં કલેશની ઉદીરણ થાય તેમ પડવું નહિં, બાહ્યની ક્રિયાઓ અન્તરમાં ઉતરવા માટે છે. અને અન્તર ક્રિયાની શુદ્ધિ થતાં બાહ્યક્રિયાની સાર્થકતા છે. કેટલાક અન્તરે કિયાના અજ્ઞાન બાહ્યની ધર્મ ક્રિયાઓના ઝઘડાએમાં આયુષ્ય વ્યતીત કરે છે તે કિયાજડ જાણવા. તેમજ કેટલાક જાણતાં છતાં પણ રાગદ્વેષમાં લયલીન રહે તે શુષ્કજ્ઞાની સમજવા. આત્મજ્ઞાન થતાં સ્વયમેવ ગચ્છ ભેદના ખેદ ટળી જાય છે. આત્મજ્ઞાનથી વિશાલદષ્ટિ થાય છે. આત્મજ્ઞાનથી આત્મ ધ્યાન કરવું જોઈએ. કારણકે જ્ઞાનનું ફળ થાન છે, આત્મા જા
, કિંતુ ધ્યાન વિના તેને સાક્ષાત્ અનુભવ થતો નથી, માટે આત્મધ્યાનમાં લયલીન થવું.
જે ભવ્યએ આત્મજ્ઞાનને વિવેક ધારણ કર્યો છે, અષ્ટપદથી આત્મસ્વરૂપ જાણ્યું છે. તે તત્વજ્ઞાની જાણુ, તે વિના એકાંત પક્ષમાં અપેક્ષા વિના જે જે કહેલું કહેવાય છે, અને
For Private And Personal Use Only