________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ
તિ:
વિચાર વિના કારણે ઉત્પન્ન થાય છે. તેને રોકવા ઘણી મહેનત કરૂ છું. પણ ભૂત વૈતાલની પેઠે રોકાતા નથી. મારા મનની શુભ વિચાર શક્તિ ક્ષીણ થતી જાય છે, અનેક મનુષ્યની દવા કરી તે પણ કંઈ સારૂ થતું નથી. આન્નતિ કરવામાં મોટો મને આ અપાય છે માટે કૃપા કરીને સદુપાય બતાવશે કે જેથી અપાયને નાશ કરી ઉચ્ચ ભાવનામાં પ્રવેશ કરૂ, જ્ઞાન ધ્યાનગેમાં આપ શુરાપૂરા છે. અને નિસ્પૃહ છે તેથી કરૂણા લાવી સત્ય ઉપાય બતાવશે. “જાગૃતિચંદ્ર ભક્ત ” ની વિજ્ઞપ્તિ શ્રવણ કરી શ્રી સદ્દગુરૂ બોલ્યા કે, હે ભવ્ય ! તમારૂ કહેવું શ્રવણ કર્યું. મનના અશુભવિચારેને નાશ કરવા માટે અનેક ઉપાયે છે. હે ભવ્ય ! નીચે પ્રમાણે ઉપાયે કહે છે. પ્રથમતો મનમાં જે જે વિચાર કરવા તે તે વિવેકથી વિચારીને કરવા. મનમાં નકામા વિચાર કરવા નહિ. જરા માત્ર પણ સાર વિનાને વિચાર મનમાં કરે નહિ. મનમાં કામ વિનાના હજારો વિચાર કરવા નહિ. સારા વિચારોથી નઠારા વિચારને ક્ષય થાય છે. જેટલું સારા વિચારોનું જે તે પ્રમાણમાં નઠારા વિચારો મનમાં આવતા અટકે છે. જે જે કાલે નઠારા વિચારો મનમાં આવે કે તે તે ક્ષણે શુભ વિચારે પૂર જેસથી કરવા, હે ભવ્ય ! નઠારા વિચારને નાશ કરી શકાય છે અને તે મારાથી થશે જ એમ નક્કી વિશ્વાસ રાખવો. જે મનુષ્ય મનમાં આવે તેમ ગમે તે વિચાર હદ મ્હાર કરે છે તે વાતુલની પેઠે પોતાના વિચાર ઉપર કાબુ ધરાવી શક્ત નથી ગમે તેવા પ્રસંગે પણ મનની સમાનતા જાળવવાને મહાવરો પાડવાથી નકામા વિચારો મનમાં પ્રવેશ કરી શકતા નથી. અશુભ વિચારથી પાપ કર્મની વર્ગણાઓ આત્મા ગ્રહણ કરે છે. અને શુભ વિચારથી પુણ્ય કર્મની વગણએ આત્મા ગ્રહણ કરે છે. શુદ્ધ વિચારોથી સર્વ શક્તિનો પ્રકાશ થાય છે. આત્મબળથી અશુભ વિચારને નાશ થાય છે. કેટલીક વખત અશુભ વિચારેનું એટલું બધું જોર વર્તે છે કે તેથી મનુષ્ય વિકલ બની જાય છે. આવા પ્રસંગે સદ્દગુરૂ સમાગમ બંધની જરૂર પડે છે.
For Private And Personal Use Only