________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિ:
૧૮૩. બીજો વિકલ્પ પણ કરે એગ્ય નથી, કારણ કે કર્તા વિના કર્મ હોઈ શકે નહીં. પ્રથમ કર્તા અને કર્તિથી થાય તે કર્મ એમ સંભવે પણ કર્તાના અભાવથી પ્રથમ કર્મ એમ માની શકાય નહીં. અક્રિયમાણ કર્મની અકારણ ઉત્પત્તિ થાય તે અકારણ તેને નાશ પણ થાય.
આત્મા અને કર્મએ બેને સાથે સબંધ થયે એમ તૃતીય વિકલ્પ પણ અકારણ પણાથી સમર્થ નથી. આત્મા અને કર્મ એ બેની સાથે ઉત્પત્તિ થાય તે આત્મા કર્તા અને કર્મ એમ પણ વ્યપદેશ થઈ શકે નહીં. ગાયનાં બે શીંગડાં સાથે થયાં તેમાં એક કર્તા અને એક કર્મ એમ એમ કહેવું ભૂલ ભરેલું છે તેમ આત્મા અને કર્મ બે સાથે ઉત્પન્ન થયાં એમ માનીએ તો કર્તા અને કર્મને વ્યવહાર જાયે કરે છે. હવે એમ માનીશું કે, આમા અને કર્મએ બે અનાદિકાળથી સંબંધવાળાં છે એમ માનતાં પણ શંકા થાય છે કે, અનાદિકાળથી આત્માની સાથે કામે લાગ્યાં છે તે તેને વિગ શી રીતે થઈ શકે, એ શંકાનું સમાધાન કરતા છતા શ્રી તીર્થંકર ભગવાન કહે છે કે હે ભવ્ય, એવી શંકા કરવી
ગ્ય નથી. આત્માની સાથે અનાદિકાળથી કર્મ લાગ્યું છે. પણ પણ તેને વિગ થઈ શકે છે. જેમ ખાણુમાં સુવર્ણની સાથે મૃત્તિકા ભળેલી હોય છે. પણ તેને વિયેગ જેમ સની વિગેરે કરે છે, તેમ અનાદિકાળથી આત્માની સાથે લાગેલાં કર્મને પણ જ્ઞાનદર્શન અને ચારિત્રની આરાધનાથી વિયેગ થાય છે. તથા અનાદિકાળ બીજ અને અંકુરની સંતતિ ચાલી આવે છે. તો પણ બીજને નાશ થયા બાદ અંકુરની ઉત્પત્તિ થઈ શકતી નથી. તેમ અનાદિકાળથી આત્માની સાથે કર્મ લાગ્યું છે. પણ રાગદ્વેષને નાશ થયા બાદ આત્માને કર્મ લાગતું નથી. અર્થાત્ કર્મની અશુદ્ધતા ટળવાથી આત્મા શુદ્ધ બને છે. અને શુદ્ધ થયા બાદ કર્મ લાગતું નથી. જેમ કુકડી અને તેનું ઈંડું. ઇંડામાંથી કુકડી અને કુકડીમાંથી ઇંડું એમ અનાદિકાળથી પરંપરા ચાલી આવે
For Private And Personal Use Only