________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિ: બંધાએલે ન માનવામાં આવે તે મુક્ત આત્મા થયે એમ કહેવું તે “આકાશ કુસુમ' ની પેઠે અસત્ય કરે છે. માટે નિત્ય મુક્ત
આત્મા” પણ કહી શકાય નહીં. જે લોકે આત્માને નિત્યમુક્ત માને છે. અને આત્મામાં કઈ જાતને વિકાર થતું નથી એમ માને છે તેને પુછવાનું કે હે ભવ્યે, નિત્યમુક્ત આત્માને વિકારની ભ્રાંતિ પણ હેય નહીં ત્યારે તમે શા માટે ભણે છે. શા માટે ધર્મ ક્રિયા કરે છે, પ્રથમથી મુક્ત છે તે શા માટે આત્માનું ધ્યાન ધરો છે. પ્રથમથી નિત્યમુક્ત આત્મા માને છે તે શા માટે પુણ્ય પાપ માને છે. નીતિને માર્ગ પણ પાળવાથી નિત્ય મુક્ત આત્માને શું લાભ થવાને છે. નિયમુક્ત આત્માને ભ્રાંતિ પણ કયાંથી હોય.
प्रकृतेः क्रियमाणानि, गुणैः कर्माणि सर्वशः अहंकारविमूढात्मा, कर्ताहमितिमन्यते ॥ १ ॥
ભવ્ય વિચાર છે કે અહંકારથી મૂઢ થએલો આત્મા હું કર્તા છું એમ માને છે. વસ્તુતઃ પ્રકૃતિનાં કૃત્ય છે. ભવ્ય વિચારે કે પ્રકૃતિ સાકાર છે કે નિરાકાર છે? જે સાકાર કહેશે તે સાકાર એવી પ્રકૃતિનું પ્રતિબિંબ નિયમુક્ત નિરાકાર આત્મામાં પડી શકે નહીં. જે પ્રકૃતિને નિરાકાર માનવામાં આવે તે નિરાકાર એવી પ્રકૃતિનું આકાશની પેઠે પ્રતિબિંબ પડી શકે નહીં. જે નિરાકાર છે તેનું પ્રતિબિંબ પડતું નથી. વળી નિત્યમુક્ત આત્મામાં અહંકારને વિકાર થાય તે અહંકારથી બંધાયે એમ થાય અને એમ થયું તે અહંકારથી છૂટેલે કહેવાય નહીં. તેથી “નિત્ય” અને મુક્ત એ વિશેષણ વ્યર્થ ઠરે છે. જ્યાં સુધી અહંકારથી મૂઢ આત્મા છે ત્યાં સુધી મુક્ત નથી. અહંકાર પણ ભાવ કર્મ છે તેથી આત્મા બંધાએલે છે. તેથી મુક્ત કહેવાય નહીં. એ ઉપરથી સિદ્ધ ઠર્યું કે, “આત્મા નિત્યમુત” કહેવાય નહીં. આત્મા કર્મની સાથે બંધાએલે છે એમ તે માન્યા વિના છૂટકો નથી.
કર્મ પહેલું અને પશ્ચાત્ આત્માને સંબંધ થયે એમ
For Private And Personal Use Only