________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિ:
૧૮૧ સંબંધ આદિવાળે માનશે તે પ્રથમ આત્મા કે પશ્ચાત્ કર્મ? વા પ્રથમ કર્મ અને પછીથી “આત્મા” અથવા આત્મા અને કર્મ બે સાથે છે? તેમાં પ્રથમ આત્મા થયો એમ તે છે જ નહીં. કારણ કે તેમાં કઈ હેતુ નથી. કેટલાક એમ કહે છે કે ઈશ્વરે આત્માને બનાવ્યું પણ આ કહેવું સમજ વિનાનું છે. “ આત્મા નિત્ય છે તેથી કેઈન બનાવ્યું તે બનતું નથી. આત્મા અરૂપી છે. અરૂપી વસ્તુ આકાશની પેઠે કેઈની બનાવી બનતી નથી. તે સંબંધી વિશેષ વર્ણન અમારા બનાવેલા આત્મપ્રકાશ ગ્રંથ માંથી જોઈ લેવું, વળી આત્માને અકારણ પ્રસૂત માનશે તે
અકારણ” તેને નાશ થશે. અનાદિ આત્મા માનીશું અને પશ્ચાતુ કર્મ લાગ્યાં એમ પક્ષ સ્વીકારતાં પણ આકાશની પેઠે આત્માને પાછળથી કર્મ લાગવાનું કારણ સિદ્ધ થશે નહીં. અને અનાદિ આત્માને કારણ વિના પણ જે કર્મ લાગે એમ માનવામાં આવે તે સિદ્ધ પસ્માત્માને પણ કારણ વિના કર્મ લાગશે. માટે તેમ માનવું પણ ગ્ય નથી કેટલાક લેકે કર્મ રહિત થએલે જીવ મુકિતમાંથી પાછો આવે છે એમ માને છે તે પણ યુક્તિયુક્ત નથી. મુક્તિમાંથી પાછા આવવું એમ માનવું એ મિથ્યાત્વવચન છે. કર્મવિના પણ જે ગમનાગમની ક્રિયા થતી હોય તે આકાશનું પણ ગમનાગમન થવું જોઈએ. પણ તેમ થતું નથી તેથી કર્મ રહીત એવા સિદ્ધબુદ્ધ પરમાત્માને સંસારમાં અવતાર થત નથી. વેદાંતમાં પણ કહ્યું છે કે, “ન તસ્ય પુનરાવૃત્તિ’ મેક્ષમાં ગયા બાદ આત્મા સંસારમાં પાછો આવતો નથી. અને તે જન્મ જરા મરણનાં દુઃખને પામતે નથી.
આત્મા નિત્ય મુક્ત છે. એમ જે માનીએ તે મોક્ષની જિજ્ઞાસા કરવાથી શું લાભ છે; આત્મા કોઈ વખત બંધાયે નથી તે મોક્ષ થયે એમ કહેવું તે પણ અસત્ય ઠરે છે. આકાશની પેઠે જેમ આકાશ કઈ વખત બંધાતું નથી તે તેને મોક્ષ કહે તે પણ કલ્પના માત્ર ઠરે છે તેમ આત્મા પણ કર્મથી
For Private And Personal Use Only